For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રીય સ્મૃતિસ્થળમાં થશે અટલજીના અંતિમ સંસ્કાર, સમાધિ માટે 1.5 એકર જમીન

વાજપેયીના નિધન બાદ હવે તેમના પાર્થિવ શરીરને મેનન માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી હવે આપણી વચ્ચે રહ્યા નથી. 16 ઓગસ્ટના રોજ એઈમ્સમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. વાજપેયીના નિધન બાદ હવે તેમના પાર્થિવ શરીરને મેનન માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવશે.

atalji

આખી રાત તેમનું પાર્થિવ શરીર ત્યાં જ રહેશે. ત્યારબાદ સવારે 9 વાગે તેમને ભાજપના મુખ્ય કાર્યાલય લઈ જવામાં આવશે. ત્યાંથી બપોરે 1.30 વાગે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે રાજઘાટ પાસે શાંતિવનમાં બનેલા રાષ્ટ્રીય સ્મૃતિમાં લાવવામાં આવશે. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વાજેપયીના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, દિલ્હી, યુપી બિહારમાં એક દિવસની રજાઆ પણ વાંચોઃ વાજેપયીના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, દિલ્હી, યુપી બિહારમાં એક દિવસની રજા

રાષ્ટ્રીય સ્મૃતિ પર સુરક્ષા માટે ભારે પોલિસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. વળી, રાષ્ટ્રીય સ્મૃતિમાં સફાઈ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. સ્મૃતિ સ્થળની અંદર અને બહાર પોલિસની કડક સુરક્ષા યુનિટ તૈનાત કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સ્મૃતિ સ્થળ બીએસએફ હેઠળ આવે છે. સૂત્રોની માનીએ તો અહીં જ વાજપેયીનું સમાધિ સ્થળ પણ બનાવવામાં આવશે. તેમના સમાધિ માટે 1.5 એકર જમીન આપવામાં આવી છે.

English summary
Former Prime Minister Atal Bihari Vajpayee's Funeral will be in Smriti Sthal, latest updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X