"હું ભાગ્યશાળી છું કે મને દિલ્હીમાં પ્રણવ મુખર્જીની મદદ મળી.."
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર લખાયેલ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં પહોંચેલ પીએમ મોદીએ કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે, દિલ્હીના જીવનમાં સેટ થવામાં મને શ્રી પ્રણવજીની મદદ મળી.
રવિવારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર લખાયેલ પુસ્તક President Pranab Mukherjee - A statesmanનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચનના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મારા જીવનનું સૌભાગ્ય છે કે, મને દિલ્હીના જીવનમાં પોતાને સેટ કરવામાં શ્રી પ્રણવજીનો સાથે સાંપડ્યો.
Mera jeevan ka bahut bada saubhagya raha ki mujhe Pranab Da ki ungli pakad ke Delhi ki zindagi mein apne aapko set karne ki suvidha mili: PM pic.twitter.com/PcNG8wUm5H
— ANI (@ANI_news) July 2, 2017
આ કાર્યક્રમમાં તમામ સાંસદો હાજર રહ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને યાદ છે કે, કટોકટીની પરિસ્થિતિ દરમિયાન મારે અનેક નેતાઓ અને તે પાણ ખાસી અલગ વિચારસરણી ધરાવતા નેતાઓ સાથે કામ કરવું પડ્યું હતું. મારું સૌભાગ્ય છે કે, મને માનનીય રાષ્ટ્રપતિ સાથે મળીને કામ કરવાની તક મળી. મોદીએ આગળ કહ્યું કે, પ્રેસિડન્સી, પ્રોટકૉલથી વધુ મહત્વપૂર્ણ છે. આ પુસ્તકની તસવીરોમાં આપણે આપણા રાષ્ટ્રપતિના માનવીય પક્ષને જોઇએ ત્યારે ગર્વ અનુભવાય છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
