લખનૌમાં ચાર માળની ઈમારત ધરાશાયી, મોટી સંખ્યામાં લોકો દટાયા હોવાની આશંકા, 3 નાં મોત
લખનૌમાં વઝીર હસનગંજ રોડ આવેલી એક ઈમારત હલીને ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારત પડતા 3 લોકના મોત થઆ છે અને અને 30થી 34 લોકો દટાયા હોઈ શકે છે.
લખનૌ : ઉત્તર પ્રદેશના લખનૌમાં એક ચાર માળની ઈમારત ઘરાશાયી થઈ હોવાના સમાચાર છે. મળી રહેલી વિગતો અનુસાર, લખનૌમાં વઝીર હસનગંજ રોડ આવેલી એક ઈમારત હલીને ધરાશાયી થઈ ગઈ હતી. આ ઈમારત પડતા 3 લોકના મોત થઆ છે અને અને 30થી 34 લોકો દટાયા હોઈ શકે છે. હાલ મોટી સંખ્યામાં SDRF અને NDRFના જવાનો બચાવ કામગીરી કરી રહ્યા છે અને લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

સામે આવેલી વિહતો અનુસાર, આ બિલ્ડીંગ અચાનક પડી હતી. અત્યારસુધીમાં અહીંથી 3 લોકોના મૃતદેહ મળ્યા છે. હાલ ઘટના સ્થળે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પણ પહોંચ્યા છે. અહીં તેમણે જણાવ્યુ કે, બિલ્ડીંગ અચાનક ધરાશાયી થઈ હતી. રાહત અને બચાવ કાર્ય કરાઈ રહ્યું છે. SDRF અને NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. 3 મૃતદેહો મળી આવ્યા છે. મૃતદેહોને હોસ્પિટલ મોકલાયા છે અને લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ મુદ્દે લખનૌના ડીએમ સૂર્ય પાલ ગંગવારે જણાવ્યું કે, 9 લોકોને બચાવી લેવાયા છે. બચાવ કામગીરી માટે એનડીઆરએફ-એસડીઆરએફ અને સેનાને પણ બોલાવવામાં આવી છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે.
અહીં નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે આગળ જણાવ્યું કે, 7 લોકોને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં મોકલાયા છે. હાલ તેમની હાલત નાજુક છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
લખનૌના ડીજીપી ડીએસ ચૌહાણે જણાવ્યું કે, જે સમયે ઈમારત પડી તે સમયે 8 પરિવારો ઈમારતમાં હતા. 5 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. હાલમાં અંદર 30-35 લોકો હોવાની આશંકા છે. મુખ્યમંત્રી ખુદ સ્થિતિ પર નજર રાખી રહ્યા અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
