'મારી દિકરીના મૃત્યુની કિંમત પર થંભે આ હેવાનીયત'
પરંતુ એ છ નરાધમોએ માત્ર એ યુવતીનું જ નહી પરંતુ આખા પરિવારના સપનાઓની હત્યા કરી નાખી. આ ઘટનાથી સંપૂર્ણ રીતે ભાંગી પડેલા યુવતીના માતા-પિતાને અન્યોની ફિકર પણ છે. યુવતીના માતા પિતાએ લોકોને એવી અપિલ કરી છે કે મારી દિકરી તો હવે નથી રહી પરંતુ અન્યોની દિકરીઓ સુરક્ષિત રહે તેવી આશા છે. યુવતીના પિતાએ જણાવ્યું કે મારી દિકરીના મોતની કિંમતથી પણ જો દિલ્હી અને દેશની દિકરીઓના ભવિષ્ય સુરક્ષિત થતું હોય, તો મારું દુ:ખ ઓછું થશે.
યુવતીના માનાપિતા ભાંગી પડ્યા છે છતા, તેઓ કહે છે કે 'મારી દિકરીના મોતથી દેશની મહિલાઓની સુરક્ષાને લઇને જાગૃતિ વધશે. દેશમાં દિકરીઓને હક અને સમ્માન મળશે.'
તેણીના પિતાએ જણાવ્યું કે મારી દિકરી પર અમારુ ઘર નિર્ભર હતું, અમને સૌને તેની પાસે ઘણી આશાઓ હતી. અમારા પરિવારમાં તે સૌથી બહાદુર હતી અને મુશ્કેલીઓને કેવી રીતે પડકારીને ખુશ રહેવું તેણે અમને શીખવ્યું હતું.'