નેપાળ અને ભૂટાનને ભારત તરફ વળવુ પડશેઃ જનરલ રાવત
મહારાષ્ટ્રના પૂણેમાં ચાલી રહેલા બિમ્સટેક મિલિટ્રી ડ્રિલ દરમિયાન રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જનરલ રાવતે કહ્યુ કે નેપાળ અને ભૂટાન જેવા દેશોએ ભારત તરફી વલણ રાખવુ પડશે.
મહારાષ્ટ્રના પૂણેમાં ચાલી રહેલા બિમ્સટેક (ઈનાશિએટિવ ફોર મલ્ટી-સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન) મિલિટ્રી ડ્રિલ દરમિયાન રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં જનરલ રાવતે કહ્યુ કે નેપાળ અને ભૂટાન જેવા દેશોએ ભારત તરફી વલણ રાખવુ પડશે. ચીન તરફી ઝૂકી રહેલ નેપાળના સવાલ પર રાવતે કહ્યુ કે આ કોઈ મોટી વાત નથી. તેમણે કહ્યુ કે ભૌગોલિક કારણોના કારણે ભારત તરફ ઝૂકાવ રાખવો પડે છે. વળી, જ્યાં સુધી ગઠબંધન (ચીન સાથે) નો સંબંધ છે, તે એક અસ્થાયી વાત છે.

તમને જણાવી દઈએ કે નેપાળે પૂણેમાં શરૂ થયેલા બિમ્સટેક જોઈન્ટ મિલિટ્રી ડ્રિલમાંથી પોતાનુ નામ પાછુ લઈને કહ્યુ કે ચીન સાથે જોઈન્ટ મિલિટ્રી ડ્રિલનું એલાન કર્યુ હતુ જેનાથી બંને દેશોના ડિપ્લોમેટીક સંબંધો પર સવાલ ઉભો થયો છે. નેપાળે ચીન તરફ ઝૂકાવના સવાલ પર રાવતો કહ્યુ કે તેમનો સંબંધ તેવો છે જેવો અમેરિકા અને પાકિસ્તાનનો છે. જનરલે કહ્યુ કે આવા સંબંધ અસ્થાયી હોય છે અને વૈશ્ચિવક સ્તરના પરિદ્રશ્ય મુજબ બદલતા રહે છે.
જનરલ રાવતે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનું ઉદાહરણ આપતા કહ્યુ, 'હવે એવા નથી જેવા જેવા સત્તર વર્ષ પહેલા હતા. એટલા માટે આપણે આ બધા મુદ્દે પરેશન ના થવુ જોઈએ. આપણે આપણા દેશને મજબૂત રાખવાન પ્રકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.' રાવતે કહ્યુ કે ભારતનું નેતૃત્વ હંમેશા પડોશી દેશો સાથે મધુર સંબંધો સ્થાપિત કરવામાં વિશ્વાસ રાખે છે.
ભારત-ચીનના વેપારી સંબંધો અંગે રાવતે કહ્યુ કે ભારત હંમેશા ચીનને એક ઈકોનોમિક્સ વિરોધીના રૂપમાં જુએ છે. તેમણે કહ્યુ, 'તેઓ (ચીન) એક બજારની શોધમાં છે અને અમે પણ છીએ. આ એક પ્રતિસ્પર્ધા છે, જે આમાં સારુ કરશે તે દોડમાં જીતશે.' માઈગ્રેશનના મુદ્દે એક સવાલનો જવાબ આપતા જનરલ રાવતે કહ્યુ કે હંમેશા એક નબળા દેશમાંથી મજબૂત દેશ તરફ માઈગ્રેશન થાય છે એટલા માટે એક સમાન વિકાસ થવો જરૂરી છે. રાવત અનુસાર માઈગ્રેશન એક એવી ઘટના છે જે ત્યાં સુધી ખતમ નહિ થાય જ્યાં સુધી સમાન ગ્રોથ નહિ થાય.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?












Click it and Unblock the Notifications
