Covid-19 સામેની જંગ અને પીડિત પરિવારોની મદદ માટે GiveIndia આગળ આવ્યું
Covid-19 સામેની જંગ અને પીડિત પરિવારોની મદદ માટે GiveIndia આગળ આવ્યું
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયર મહામારી વિરુદ્ધની લડાઈ અને તેના પ્રભાવિત પરિવોરની મદદ માટે GiveIndia આગળ આવ્યું છે. સંકટના આ સમયે ગિવઈન્ડિયાએ એક ખાસ મિન લૉન્ચ કર્યું છે. એવા અવસર પર સહાયતા માટે ગિવઈન્ડિયા ડૉટ ઓઆરજી દેશનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ માનવામાં આવી રહ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે હાલના સંકટના કારણે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા 80 ટકા લોકો ખરાબ રીતે પ્રભાવિત થનાર છે. સરકારે આ સેક્ટર માટે રાહતની કેટલીય ઘોષણાઓ પણ કરી છે, પરંતુ છતાં પણ તેમને વધારાની મદદની જરૂર હશે. આ માટે ગિવઈન્ડિયા તરફથી બે પ્રકારની પહેલ કરવામાં આવી રહી છે. પહેલી આર્થિક સુરક્ષા- જેનાથી રોજમદાર મજૂરોને ખાવાનું મળી શકે અને બીજી આખા દેશમાં વંચિત પરિવારોને કોરોના વાયરસથી દંગ લડવા માટે હાઈજિન કિટ ઉપલબ્ધ કરાવી શકે. આના માટે આ લોકો સુધા સાબુ, સેનિટાઈઝર્સ અને માસ્ક પહોંચાડવામાં આવશે. આ કિટ હોસ્પિટલમાં ફ્રન્ટલાઈનમાં રહીને કામ કરનારા લોકોને પણ આપવામાં આવશે.
આ અભિયાન લૉન્ચ થવાના માત્ર ત્રણ દિવસમાં જ ગિવ ઈન્ડિયાને 6000 દાતાઓ પાસેથી 1.5 કરોડ રૂપિયાથી વધુ રકમ પ્રાપ્ત થઈ છે.
Omidyar Network India, Mckinsey, AU Small Finance Bank, Meesho, Genpact, Flipkart, Myntra અને Jardine Llyod thompson સહિત ગિવઈન્ડિયાના અન્ય કોર્પોરેટ પાર્ટનરોએ પોતાના કર્મચારીઓને પણ આ અભિયાન સાથે જોડ્યા છે.
ગિવઈન્ડિયાના સીઈઓ અતુલ સતીજાનું કહેવું છે કે આખી દુનિયા સંકટમાં છે, પરંતુ જેમની પાસે જૉબની સુરક્ષા અથવા કોઈ બચત નથી, તેઓ સૌથી વધુ લપેટામાં આવ્યા છે. પ્લીઝ આને સહાયતા માટે અપીલ તરીકે લો અને અમારી બધાને ભલામણ છે કે જે લોકો કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થયા છે, તેમના માટે દિલ ખોલીને દાન કરો.
દાન આપવા માટે આ લિંક પર જાવ- http://indiafightscorona.giveindia.org/
ગિવઈન્ડિયાએ પોતાના એનજીઓ નેટવર્ક દ્વારા બેરોજગારોની તપાસ કરી છે અને દાનમાં આવી. 100% રકમ સીધી તેમના જરૂરતમંદ પરિવાર સુધી પહોંચી જશે. આ પ્લેટફોર્મથી દેવામાં આવેલ દાનને સેક્શન 80જી અને 501(સી) (3)ના અંતર્ગત એનકમ ટેક્સથી છૂટ પ્રાપ્ત છે.