Good News: 73 દિવસમાં દેશને મળશે કોરોનાની વેક્સીન, લોકોને મફતમાં મૂકાશે રસી
ભારતમાં રોજ લગભગ 60 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના વેક્સીન માટે સારા સમાચાર સામે આવ્યા છે.
નવી દિલ્લીઃ વર્તમાન સમયમાં કોરોના મહામારી આખી દુનિયા માટે એક મોટો પડકાર બની ગઈ છે. ભારતમાં રોજ લગભગ 60 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે જેના કારણે સામા્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. પરંતુ આ દરમિયાન કોરોના વેક્સીન માટે સારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર ભારતની પહેલી કોરોના વેક્સીન કોવીશીલ્ડ જેને સીરમ ઈન્સ્ટીટ્યુટ બનાવી રહ્યુ છે તે 73 દિવસમાં ઉપલબ્ધ થઈ શકે છે. એટલુ જ નહિ આ વેક્સીન લોકોને નેશનલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ હેઠળ મફતમાં લગાવવામાં આવશે.

મફતમાં લોકોને મળશે વેક્સીન
બિઝનેસ ટુડેના રિપોર્ટ મુજબ સીરમ ઈન્સ્ટીટ્યુટના મોટા અધિકારીઓએ જણાવ્યુ કે સરકારે અમને સ્પેશિયલ મેન્યુફેક્ચરીંગ માટે લાયસન્સ આપ્યુ છે જેથી ઝડપથી વેક્સીનની ટ્રાયલ થઈ શકે. તે આગલા 58 દિવસમાં પૂરી થઈ જશે. ત્રીજા તબક્કામાં લોકોને પહેલો ડોઝ આપવાનુ કામ શરૂ થઈ ચૂક્યુ છે જ્યારે બીજો ડોઝ 29 દિવસોની અંદર આપવામાં આવશે. બીજો ડોઝ આપ્યાના 15 દિવસ બાદ ફાઈનલ ટ્રાયલ ડેટા સામે આવશે. એ સમય સુધી અમે કોવીશીલ્ડને લોકો સુધી પહોંચાડવા માટે અમારી રણનીતિ બનાવી રહ્યા છે.

ટ્રાયલ ચાલી રહી છે
આ પહેલા માનવામાં રહ્યુ હતુ કે અંતિમ તબક્કાની ટ્રાયલમાં ઓછામાં ઓછા 7-8 મહિના લાગી શકે છે. આ ટ્રાયલ 1600 વેંટીલેટર પર અલગ અલગ સેન્ટરમાં કરવામાં આવી રહ્યુ છે. 22 ઓગસ્ટથી આ ટ્રાયલ 100-100ના જૂથમાં કરવામાં આવી રહ્યુ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યુ કે આપણી વેક્સીનમાંથી એક વેક્સીનના ત્રીજા અને અંતિમ તબક્કાનુ ટ્રાયલ ચાલી રહ્યુ છે. અમને એ વાતનો ભરોસો છે કે આ વર્ષના અંત સુધી કોરોનાની વેક્સીન તૈયાર થઈ જશે.

આરોગ્ય મંત્રીનો દાવો
મીડિયા સાતે વાત કરતા ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે આ ઉપરાંત જે અલગ અલગ વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે તેમાંથી અમુક 2012ના પહેલા ત્રિમાસિક સુધી લોકોને ઉપલબ્ધ થઈ જશે. તેમણે આગળ જણાવ્યુ કે ભારતમાં તૈયાર થઈ રહેલી કોરોના વાયરસની વેક્સીનની ટ્રાયલ પૂરી થયા બાદ તેમના પ્રભાવ વિશે જાણવા મળશે. આ સાથે તેમણે એ પણ કહ્યુ કે ઑક્સફૉર્ડની જે વેક્સીનનુ ઉત્પાદન ભારતના સીરમ ઈન્સ્ટીટ્યુટે કર્યુ છે તેને પણ જલ્દી માર્કેટમાં લાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

આ કંપનીઓ છે રેસમાં
આ ઉપરાતં કેન્દ્રીય આરોગ્ય મંત્રીઓ દાવો કર્યો કે ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલાની વેક્સીન ટ્રાયલ પૂરી થયા બાદ તેના ઉત્પાદન અને તેને માર્કેટમાં લાવવામાં એક મહિનાનો સમય વધુ લાગશે. જો તેમના ટ્રાયલ સંપૂર્ણપણે સફળ થાય તો મને ભરોસો છે કે વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક ગાળામાં આ બંને વેક્સીન લોકોને ઉપલબ્ધ થઈ જશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
