વાજેપયીના નિધન પર 7 દિવસનો રાજકીય શોક, દિલ્હી, યુપી બિહારમાં એક દિવસની રજા
કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં 7 દિવસનો શોક ઘોષિત કરવામાં આવ્યો છે.
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુવારે સાંજે એઈમ્સમાં 93 વર્ષની વયે નિધન થઈ ગયુ. કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન બાદ સમગ્ર દેશમાં 7 દિવસનો શોક ઘોષિત કરવામાં આવ્યો છે. વાજપેયીના નિધન પર દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઝારખંડ અને ઉત્તરાખંડનાં સાત દિવસનો રાજકીય શોક અને એક દિવસની રજાનું એલાન કર્યુ છે. આ દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સરકારી ઓફિસ અને શાળા કોલેજો બંધ રહેશે. આ ઉપરાંત ભાજપે 18-19 ઓગસ્ટે થનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક રદ કરી દીધી છે.

આ રાજ્યોએ રાખી એક દિવસની સરકારી રજા
સરકારી શાળાઓ ઉપરાંત કાલે દિલ્હીના બજાર પણ બંધ રહેશે. વેપારી સંઘ તરફથી એલાન કરવામાં આવ્યુ છે કે પૂર્વ પ્રધાનમં6 અટલ બિહારી વાજપેયીના સમ્માનમાં કાલે દિલ્હીના બજારો બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત દેશના ઘણા રાજ્યો દિલ્હી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, યુપી, ઝારખંડ, પંજાબ અને ઉત્તરાખંડમાં એક દિવસની રજા ઘોષિત કરવામાં આવી છે.

બિહાર અને ઝારખંડમાં પણ સાત દિવસનો રાજકીય અવકાશ ઘોષિત
આ ઉપરાંત બિહારી અને ઝારખંડમાં પણ સાત દિવસનો રાજકીય અવકાશ ઘોષિત કરવામાં આવ્યો છે. બિહાર અને ઝારખંડ સરકારે એક દિવસનો સરકારી અવકાશ ઘોષિત કરવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા દેશ માટે મોટુ નુકશાન ગણાવ્યુ છે.

વાજપેયીના નિધન પર ભાવુક થયા અડવાણી, આવી રીતે કર્યા યાદ
પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નિધન પર તેમના જૂના સહયોગી લાલકૃષ્ણ અડવાણીએ કહ્યુ છે કે મે 65 વર્ષ સુધી મારા દોસ્ત રહેલા વ્યક્તિને ખોઈ દીધા છે. અડવાણીએ કહ્યુ કે હું તેમને ક્યારેય નહિ ભૂલી શકુ. અમે 65 વર્ષથી મિત્ર હતા. તેમનુ દુનિયામાંથી જતુ રહેવુ મારા માટે વ્યક્તિગત નુકશાન છે. હું તેમને ખૂબ યાદ કરીશ.
અડવાણીએ કહ્યુ કે આ ઘડીએ દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી. અડવાણીએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે આજે મારી પાસે શબ્દ નથી. ભારતના સૌથી મોટા રાજનેતાઓમાંથી એક અટલ બિહારી વાજપેયીને આપણે ખોઈ દીધા છે. મારા માટે એક વરિષ્ઠ સાથીથી પણ વધુ હતા. 65 વર્ષથી પણ વધુ સમય સુધી તેઓ મારા સૌથી નજીકના દોસ્ત રહ્યા હતા. મારા પાસે તેમની યાદો, આરએસએસના પ્રચારકના દિવસોથી, ભારતીય જનસંઘની સ્થાપના, ઈમરજન્સી દરમિયાનનો અમારો સંઘર્ષ, જનતા પાર્ટીને બનાવવી અને બાદમાં 1980 માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સુધી ઘણી બધી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
