For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Guru Nanak Jayanti: PM મોદી અને રાહુલ ગાંધીએ ગુરુ નાનકને કર્યા નમન, દેશવાસીઓને પાઠવી શુભકામના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આજે ગુરુ નાનક દેવની 551મી જન્મજયંતિ છે. દર વર્ષે સિખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવનો જન્મદિવસ કારતક મહિનાની શુક્લ પક્ષે મનાવવામાં આવે છે. ગુરુ નાનકદેવની જયંતિને ગુરુ પર્વ અને પ્રકાશ ઉત્સવના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સિખ ધર્મનો પવિત્ર તહેવાર છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સાથે જ ગુરુનાનકને નમન કર્યા છે.

pm modi

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યુ, 'હું શ્રી ગુરુનાનક દેવને તેમના પ્રકાશોત્સવ પર નમ કરુ છુ. તેમના વિચારો આપણને સમાજની સેવા કરવા અને સારી દુનિયા સુનિશ્ચિત કરવા માટે પ્રેરિત કરતા રહે.' વળી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ, 'અહંકારથી દૂર, સત્ય અને ભાઈચારાની સીખ આપનાર ગુરુ નાનક દેવજીને મારા નમન. ગુરુ પૂરબની તમને સૌને હાર્દિક શુભકામના.'

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ, 'સમસ્ત દેશવાસીઓને શ્રી ગુરુ નાનકદેવજીના 551માં પ્રકાશ પર્વન હાર્દિક શુભકામનાઓ. ગુરુ નાનકજીના વિચાર આપણને સદૈવ ધર્મ અને રાષ્ટ્રહિતના માર્ગ પર ચાલવાની શક્તિ આપતા રહે.' રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ, 'ગુરુ નાનક દેવી શિક્ષાઓ માનવતાની આધ્યાત્મિક પ્રગતિમાં મહત્વપૂર્ણ છે. તેમનો પ્રભાવ સિખ સમાજથી પરે છે અને દુનિયાભરમાં ફેલાયેલો છે. તેમની શિક્ષા આપણને સદભાવમાં રહેવા માટે પ્રેરિત કરે છે અને બધા ધર્મો માટે સમ્માન રાખે છે. ગુરુનાનક દેવની જયંતિના શુભ અવસર પર બધાને શુભકામના. તે શાંતિનુ એક પ્રતીક હતા જેમણે લોકોની સેવા કરવા અને આપણા સમાજમાં દરેક પ્રકારની અસમાનતાને સમાપ્ત કરવા પર જોર આપ્યુ.'

Kartik Purnima 2020: કારતક પૂનમના દિવસે શું કરવુ-શું ન કરવુKartik Purnima 2020: કારતક પૂનમના દિવસે શું કરવુ-શું ન કરવુ

English summary
Guru Nanak Jayanti: PM Narendra Modi and Rahul Randhi greet citizens.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X