હરીશ રાવત બનશે આજે ઉત્તરાખંડના મુખ્યમંત્રી!
દહેરાદુન, 1 ફેબ્રુઆરી: ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણાએ શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપી દિધું. નવા નેતાની પસંદગી આજે કોંગ્રેસ વિધાનસભા દળની થનારી બેઠકમાં કરવામાં આવશે. ત્યારબાદ શપથ ગ્રહણ આયોજિત કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આજે દસ વાગે પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાશે અને આજે બપોરે 3 વાગે મુખ્યમંત્રી શપથ લેશે.
રાજભવનમાં રાજ્યપાલ અજીજ કુરૈશીને રાજીનામું સોંપ્યા બાદ વિજય બહુગુણાએ સંવાદદાતાઓને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિર્દેશાનુસાર પસંદ કરવામાં આવશે. જે પણ મુખ્યમંત્રીનું પદ સંભાળશે તેને તેમની શુભેચ્છાઓ છે.
કેન્દ્રિય મંત્રી ગુલાબ નબી આઝાદ, કોંગ્રેસ મહાસચિવ જનાર્દન દ્રિવેદી અને અંબિકા સોની કેન્દ્રિય સુપરવાઇઝર તરીકે આજે દહેરાદુન પહોંચી રહ્યાં છે. પાર્ટી મહાસચિવ અંબિકા સોની પાર્ટીમાં ઉત્તરાખંડ મુદ્દાઓના પ્રભારી પણ છે.
આ દરમિયાન એવા સંકેત છે કે રાજ્યના મુખ્યમંત્રી પદની દોડમાં કેન્દ્રિય મંત્રી હરિશ રાવત સૌથી આગળ છે. પાર્ટી હાઇકમાન્ડે તેમના નામ પર મોહર લગાવી દિધી છે ફક્ત આજે ઔપચારિક એલાન બાકી છે. જો કે ખાદ્ય તથા નાગરિક આપૂર્તિ મંત્રી પ્રીતમ સિંહ અને નાણાં મંત્રી ઇન્દિરા હદ્યેશના નામની પણ ચર્ચા છે. પ્રીતમ સિંહ હરિશ રાવત ખેમાના હોવાનું કહેવામાં આવે છે.

ચર્ચા થઇ રહી છે કે જો હરિશ રાવત વિરૂધ જૂથ તેમને સ્વિકાર કરવાની મનાઇ કરી દે છે તો પ્રીતમ સિંહ 'સમજૂતીવાળા ઉમેદવાર' તરીકે સામે આવી શકે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે વિજય બહુગુણાના સ્થાને હરિશ રાવતનું સ્થાન લગભગ નક્કી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જૂનમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને અચાનક આવેલા પૂરથી હજારો લોકોના મોત નિપજ્યાં હતા. આ કુદરતી આફતના સંદર્ભમાં વિજય બહુગુણાના નેતૃત્વમાં કૌશલને લઇને પ્રશ્નો ઉદભવી રહ્યાં હતા અને મહિનાઓથી અટકળો ચાલી રહી હતી કે તેમને મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવે.
કુલ 22 મહિના સુધી પદ રહ્યાં બાદ વિજય બહુગુણાની રવાનગીને પાર્ટીના મજબૂત નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડવાના પગલાં તરીકે જોવામાં આવે છે. રાજ્યમાં લોકસભાની પાંચ સીટો છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
