Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરિયાણા ચૂંટણીમાં ધાર્મિક સંગઠનોની ભૂમિકા મહત્વની રહેશે

હરિયાણામાં, તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે પોતાની તૈયારી શરુ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો આ વખતે ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતા નથી.

હરિયાણામાં, તમામ રાજકીય પક્ષોએ વિધાનસભાની ચૂંટણી માટે પોતાની તૈયારી શરુ કરી દીધી છે. તમામ રાજકીય પક્ષો આ વખતે ચૂંટણીમાં કોઈ કસર છોડવા માંગતા નથી. એક તરફ, જ્યાં તમામ રાજકીય પક્ષો મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, બીજી તરફ, અહીંના ધાર્મિક સંગઠનોએ હજી સુધી જાહેરાત કરી નથી કે તેઓ આ ચૂંટણીમાં કયા પક્ષને ટેકો આપશે. તમામ રાજકીય પક્ષો આ સંગઠનોનો ટેકો મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.

ડેરા સચ્ચા સૌદા અગત્યનું

ડેરા સચ્ચા સૌદા અગત્યનું

ગુરમીત રામ રહીમની સંસ્થા ડેરા સચ્ચા સૌદામાં લોકો હજુ પણ ઘણો વિશ્વાસ રાખે છે, જોકે રામ રહીમ હાલમાં જેલમાં છે. તેની સામે બળાત્કાર અને હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. ડેરા સચ્ચા સૌદાની 15 સભ્યોની રાજકીય સમિતિ છે જે નિર્ણય કરે છે કે તે કયા રાજકીય પક્ષને ટેકો આપશે. સંગઠનના રાજકીય એકમના સભ્ય જોગીન્દર સિંહે કહ્યું કે અમે કયા રાજકીય પક્ષને ટેકો આપવો તે સંબંધમાં બેઠક કરી રહ્યા છીએ, અમે લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છીએ.

જેલમાં બંધ છે રામપાલ

જેલમાં બંધ છે રામપાલ

જોગીન્દર સિંહે કહ્યું કે એકવાર અમે નિર્ણય લઈશું, અમે તમને તેના વિશે જણાવીશું. તેમણે કહ્યું કે ચૂંટણીના એક દિવસ પહેલા પણ અમારી જાહેરાત તેમના સમર્થકોને માર્ગદર્શન આપવા માટે પૂરતી છે. બીજા આશ્રમની વાત કરીએ તો, આ ગુરુ રામપાલના નેતૃત્વમાં સત્લોક આશ્રમ છે. નવેમ્બર 2014 થી ગુરુ રામપાલ પણ જેલમાં છે. રામપાલની ધરપકડ દરમિયાન, હિંસામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા, જેના પગલે ભારે સુરક્ષા દળોની ગોઠવણી બાદ રામપાલની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ડેરાએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો. ગયા વર્ષે મધ્યપ્રદેશની ચૂંટણીમાં પણ ડેરાએ કોંગ્રેસને ટેકો આપ્યો હતો.

રાજનૈતિક દળોની નજર

રાજનૈતિક દળોની નજર

ગુરુ રામપાલના ડેરાના મીડિયા પ્રભારી ચંદ રાઠીએ કહ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીની તુલનામાં મુદ્દાઓ જુદા છે. અમે 15 ઓક્ટોબરના રોજ અમારા નેતાઓને મળીશું અને સંગઠનના તમામ લોકો અને ટેકેદારોના અભિપ્રાય લીધા પછી જાહેરાત કરવામાં આવશે કે કયા રાજકીય પક્ષને ટેકો આપવો. રાઠીએ દાવો કર્યો છે કે રોહતક અને આજુબાજુની બેઠકો પર અમારા સમર્થકોનો સીધો પ્રભાવ છે. આ સિવાય, ઘણી અન્ય નાની ધાર્મિક સંસ્થાઓ છે, જેની ભૂમિકા મહત્વપૂર્ણ હોઈ શકે છે. તેમાં ડેરા બાબા શ્રી બાલક પુરી, ડેરા ગોકરણ ધામ પણ છે, જેની રાજકીય પક્ષો દ્વારા નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો: અમિત શાહની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, એક જવાનના બદલે 10 દુશ્મનને મારશું

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X