હરિયાણા: ગેરકાયદે ખનન થતુ રોકવા ગયેલ DSPની હત્યા, ખનન માફીયાઓએ ડંપરથી કુચલ્યા
નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો
નૂહમાં ગેરકાયદે ખનન રોકવા ગયેલા મેવાતના હરિયાણાના ડીએસપી સુરેન્દ્ર સિંહને ખાણ માફિયાઓએ ડમ્પર વડે કચડી નાખ્યા હતા. જેના કારણે ડીએસપી સુરેન્દ્ર સિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. DSPનો મૃતદેહ પચગાંવની પહાડીઓમાંથી મળી આવ્યો છે. આ ઘટના બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરી છે.

ઘટના ગુરુગ્રામને અડીને આવેલા નુહ જિલ્લાના તાવડુ પોલીસ સ્ટેશન વિસ્તારના પચગાંવ ગામની છે. મંગળવારે સવારે ડીએસપી (તાવડુ) સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને પચગાંવને અડીને આવેલા અરવલ્લી ટેકરી પર ગેરકાયદેસર ખાણકામની માહિતી મળી હતી. તેઓ તેમની ટીમ સાથે મંગળવારે સવારે 11 વાગ્યે ખનન રોકવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસને ઘટનાસ્થળે જોઈને ખનન કરનારા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ ટીમને જોતા જ ડુંગર પાસે ઉભેલા ડમ્પર ચાલક અને ખાણકામમાં લાગેલા લોકો ભાગવા લાગ્યા હતા.
દરમિયાન ડીએસપી સુરેન્દ્ર સિંહ વાહન રોકવા આગળ આવ્યા ત્યારે ડમ્પર ચાલક તેમને ટક્કર મારીને નાસી ગયો હતો. ટાયર નીચે આવી જતાં ડીએસપીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ એસપી નુહ અને એસડીએમ અને તહસીલદાર તાવડુના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડીએસપી મૂળ હિસારના હતા.
આરોપીઓને શોધવા માટે પોલીસ દ્વારા ગામ અને અરવલી ટેકરીઓમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. નૂહના એસપી અને આઈજી સ્થળ પર હાજર છે. આરોપીને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. ડેપ્યુટી એસપીની હત્યા, પોલીસે ટ્વિટ કરીને કહ્યું છે કે કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
