Himachal Pradesh Election: 11 વાગ્યા સુધી 17.98% મતદાન
Himachal Pradesh Election: 11 વાગ્યા સુધી 17.98% મતદાન
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે આજે વહેલી સવારેથી મતદાન શરૂ થઈ ગયું છે. બપોરના 11 વાગ્યા સુધીમાં 17.98% મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ તરફથી આ જાણકારી આપવામાં આવી છે. શરૂઆતમાં મતદાન ધીમું રહ્યું, પરંતુ ધીરે-ધીરે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે અને અત્યારે દરેક મતદાન કેન્દ્રો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પહેલા કલાકમાં માત્ર 5 ટકા મતદાન જ નોંધાયું હતું.

મુખ્યમંત્રી જયરામ ઠાકુરનાગૃહ જિલ્લા મંડીમાં 11 વાગ્યા સુધીમાં સૌથી વધુ 21.92% મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચ મુજબ સિરમૌર જિલ્લામાં 21.66, સોલનમાં 20.28 અને કિન્નૌરમાં 20 ટકા મતદાન થયું છે. લાહૌલ સ્પીતિ જિલ્લામાં પહેલા ત્રણ કલાકમાં સૌથી ઓછું પાંચ ટકા મતદાન નોંધાયું છે.
નોંધનીય ચે કે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એક સ્થાનિક મંદિરમાં પૂજા કર્યા બાદ તેમની પત્ની અને દીકરીઓ સાથે મંડીમાં મતદાન કર્યું હતું.
હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પ્રતિભા સિંહ અને તેમના દીકરા વિક્રમાદિત્ય સિંહે રામપુરમાં મતદાન કર્યું. તે પહેલાં તેમણે શિમલાના શનિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તેમના દીકરા અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પરિવારના અન્ય સભ્યો સાથે હમીરપુરમાં મતદાન કર્યું. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્માએ શિમલામાં મતદાન કર્યું જ્યારે નેતા પ્રતિપક્ષ મુકેશ અગ્નિહોત્રી અને તેમના પરિવારે હરોલીમાં મતદાન કર્યું છે, ત્યાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
