જેટલીની માત્ર કોલ ડિટેલ જ લેવામાં આવી હતીઃ શિંદે
નવી દિલ્હી, 1 માર્ચઃ ભાજપના વરિષ્ઠ નેતાઓની કથિત રીતે જાસૂસી કરવામાં આવી રહ્યાના ઓરોપોમા ફસાયેલી સરકારને બચાવવા માટે આજે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે રાજ્યસભામાં સ્પષ્ટતા આપતા કહ્યું કે, અરૂણ જેટલીના ફોન ટેપિંગ કરવામાં આવી નહોતા, માત્ર કોલ ડિટેલ્સ માંગવામાં આવી હતી. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં કેટલાક લોકોએ એક વિરષ્ઠ પોલીસ અધિકારીના ઇમેઇલ આઇડી પરથી ઇમેઇલ કરીને જેટલીની કોલ ડિટેલ માંગી હતી. જેને લઇને કેટલાક ભાજપી નેતાઓએ સરકાર પર વિપક્ષની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો.

અનુરાગ સિંહ એક પ્રાઇવેટ જાસૂસી એજન્સી ચાલે છે. તેના પિતા કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં આઇજીના પદેથી નિવૃત થયા છે. અનુરાગની તેના ત્રણ અન્ય સાથીઓ સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેનું લેપટોપ જપ્ત કરી લીધું છે અને તેની ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા અમરસિંહના ફોન ટેપિંગ મામલામાં પણ અનુરાગનું નામ આવ્યું હતું.












Click it and Unblock the Notifications
