Palghar Fire: 40 ધમાકા, દર્દનાક મૌત
મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક બોઇસર માં એક દવા કંપની પ્લાન્ટમાં ભયાનક આગ લાગવાની ખબર આવી છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક બોઇસર માં એક દવા કંપની પ્લાન્ટમાં ભયાનક આગ લાગવાની ખબર આવી છે. આ આગમાં લગભગ 15 લોકો ઘાયલ થવાની ખબર છે જયારે 3 લોકોની દર્દનાક મૌત થઇ ચુકી છે. શરૂઆતી જાણકારી અનુસાર કેમિકલ પ્લાન્ટમાં આગ લાગવાથી 200 લીટરના 25 ડ્રમમાં જોરદાર ધમાકા થયા. જેમાં કેમિકલ રાખવામાં આવ્યું હતું. આ ઘટના રાત્રે લગભગ 11.15 દરમિયાન ઘટી હતી. આ ઘટના પછી જગ્યા પર ફાયરબ્રિગેડ પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી.
3 મૌત 15 ઘાયલ
આ ભયાનક આગમાં 3 લોકો ના શવ મેળવવામાં આવ્યા છે. જેની હજુ સુધી ઓળખ થઇ શકી નથી. આ ત્રણે શવ આરતી કેમિકલ ફેક્ટરી પાસે મળ્યા છે. પાલગઢ એસપી મંજુનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું કે આગ બુજાવતી વખતે ત્રણ શવ મળી આવ્યા છે. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા છે જેમાં 3 લોકોની હાલત ગંભીર છે.
40 ધમાકા
ઘટના પછી પાલગઢ ડીએમ પ્રશાંત નાનાવારે જગ્યા પર પહોંચ્યા અને તેમને જણાવ્યું કે પ્લાન્ટમાં લગભગ 40 ધમાકા સાંભળવામાં આવ્યા હતા. લોકોના રાહત અને બચાવ માટે પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગ પહોંચી ગયા છે. ડીએમ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુનિટમાં સુરક્ષા માટે સારી વ્યવસ્થા ના હતી અને નિયમોનું પાલન પણ કરવામાં આવ્યું ના હતું. આખા મામલાની જાંચ કરવામાં આવશે અને આરોપીઓ ને છોડવામાં નહીં આવે.
12 કિલોમીટર સુધી અવાઝ આવ્યો
જે પ્લાન્ટમાં આગ લાગી તેની પાસે ચાર બીજા કેમિકલ યુનિટ છે. આખા ધમાકાનો અવાઝ લગભગ 12 કિલોમીટર સુધી સંભળાવવામાં આવ્યો. ધમાકાના અવાઝ થી આસપાસ લોકોની બારીના કાચ પણ તૂટી ગયા.