For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદ વિસ્ફોટઃ 'સાંઇ મંદિર હતું આતંકીઓનું ટાર્ગેટ'

By Super
|
Google Oneindia Gujarati News

BLAST
હૈદરાબાદ, 23 ફેબ્રુઆરીઃ હૈદરબાદા બાદ વિસ્ફોટમાં એક મોટો ખુલાસો થયો છે. સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર આતંકીઓના નિશાના પર સાઇ બાબાનું મંદિર હતું પરંતુ એ સમયે મંદિરમાં પોલીસ કમિશનર ઉપસ્થિત હતા અને ત્યાં કડક સુરક્ષા હતી, તેથી આતંકીઓએ ટાર્ગેટ બદલી નાંખ્યું હતું. હૈદરાબાદના દિલસુખ નગરમાં વિસ્ફોટ થયો તેની 23 મિનિટ પહેલા પોલીસ કમિશનર સાંઇ મંદિર ખાતે હતા.

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટને ઘણા કલાકો વિતિ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પોલીસને કોઇ પુરાવા મળ્યા નથી. આ વચ્ચે સૂત્રોના હવાલાથી એવું કહેવામાં આવે છે કે એનઆઇએની ટીમ પુરાવાની શોધમાં બિહારના દરભંગા ખાતે જશે.

આંધ્રપ્રદેશ પોલીસે અહીં દિલસુખ નગરમાં ગુરુવારે થયેલા વિસ્ફોટનો મામલો નોંધ્યો છે. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 120થી વધારે લોકોને ઇજા પહોંચી છે. નોંધનીય છે કે દિલસુખનગરના સાઇબાબા મંદિરે 2002માં ધમાકા થયા હતા અને જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને અન્ય ઘણાને ઇજા પહોંચી હતી.

English summary
A Sai Baba temple in Hyderabad’s Dilsukhnagar area could have been the original target of attackers, who at the last moment changed their plan and planted the bombs at the two nearby locations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X