આંધ્રમાં વોલ્વો બસમાં ભીષણ આગ, 44 યાત્રાળુઓ ભડથું
હૈદરાબાદ, 30 ઓક્ટોબર: આંધ્ર પ્રદેશના મહબૂબ નગરની પાસે એક વોલ્વો બસમાં ભીષણ આગ લાગી ગઇ. આ ઘટનામાં 44 જેટલા યાત્રાળુઓના મોત થયાના સમાચાર છે. કેટલાંક યાત્રીઓ ગંભીર રીતે બળી પણ ગયા છે. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી જાણકારી અનુસાર આ બસ બેંગલુરુથી હૈદરાબાદ જઇ રહી હતી. ત્યારે જ બસમાં જોરદાર વિસ્ફોટ થયો અને બસમાં અફડા-તફડી મચી ગઇ. બસમાં 51 યાત્રીઓ સવાર હતા. જેમાંથી 44ના મોત થઇ ગયા. બસ ડ્રાઇવર, સફાઇકર્મી સહિત 7 લોકો આમાંથી નીકળવામાં સફળ રહ્યા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ ઘટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી પીડિત પરિવારો પ્રત્યે આશ્વાસનની લાગણી વ્યક્ત કરી હતી.
The bus fire mishap in Andhra Pradesh is unfortunate. My condolences to the families of the deceased & prayers for those injured.
— Narendra Modi (@narendramodi) October 30, 2013
જબ્બાર ટ્રાવેલ્સની વોલ્વો બસમાં 51 લોકો મુસાફરી કરી રહ્યા હતા. બસ પુલ સાથે અથડાયા બાદ ડિઝલની ટાંકીમાં આગ લાગી ગઇ હતી આ દરમિયાન મુસાફરો ઊંઘમાં હતા. નજીકના ગામના લોકોએ જણાવ્યું કે થોડી જ મીનીટમાં બસ સળગીને રાખ થઇ ગઇ. મૃતકોના શરીર જોરદાર સળગી જવાના કારણે તેમની ઓળખ કરી શકાતી નથી.
મહેબૂબનગરના જિલ્લા કલેક્ટર એમ ગિરિજા શંકરે જણાવ્યું કે પાંચ મુસાફરોનું વાનાપર્તીના એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમણે પોલીસ અધીક્ષક નાગેન્દ્ર કુમારની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરી. તેમણે જણાવ્યું કે બસથી 29 યાત્રીઓની સૂચિ જ મળી છે. જ્યારે અન્ય લોકો રસ્તામાંથી બસમાં સવાર થયા હતા. બસ મંગળવારે રાત્રે 10 વાગ્યે બેંગલુરુથી નીકળી હતી અને બુધવારે સવારે 6.30 વાગ્યે હૈદરાબાદ પહોંચવાની હતી.

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન કિરણ કુમાર રેડ્ડીએ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા પીડિતોના પરિવારજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. તેલૂગુદેશમ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડૂએ પણ ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
