લોકડાઉન વચ્ચે સોશિયલ ડિસ્ટેન્સીંગના કારણે કાર્યકરોથી દૂર છું: જ્યોતિરાદિત્ય સિંધિયા
કોરોના વારાયસના વધતા જતા કહેરના કારણે દેશવ્યાપી લોકડાઉન છે. નેતા-અભિનેતા દરેક લોકો કોરોના વાયરસ વિશે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. આ એપિસોડમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જેમણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને
કોરોના વારાયસના વધતા જતા કહેરના કારણે દેશવ્યાપી લોકડાઉન છે. નેતા-અભિનેતા દરેક લોકો કોરોના વાયરસ વિશે લોકોને જાગૃત પણ કરી રહ્યા છે. આ એપિસોડમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, જેમણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા, લોકોને સોશિયલ ડિસ્ટેન્સીંગ વિશે જણાવીને એક વીડિયો શેર કર્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સિંધિયાએ તેમના સમર્થકો અને સામાન્ય લોકોને કહ્યું છે કે તેઓ કોરોના રોગચાળા અને લોકડાઉનને લઈને સોશિયલ ડિસ્ટેન્સીંગના નિયમોનું પાલન કરી રહ્યા છે, તેથી તેઓ લોકોથી દૂર છે.
ઉલ્લેખનિય છેકે મધ્યપ્રદેશ પણ કોરોના ચેપથી બાકી નથી. મધ્યપ્રદેશનું બીજું સૌથી મોટું શહેર ઈન્દોર કોરોના પોઝિટિના કારણે એક મહિલાનું મોત નીપજ્યું છે. મધ્ય પ્રદેશમાં અત્યાર સુધીમાં 21 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તેમાંથી ભોપાલમાં 2, ગ્વાલિયરમાં 1, શિવપુરીમાં 1, ઇન્દોરમાં 10, ઉજ્જૈનમાં 1 અને જબલપુરમાં 6 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો: વતનમાં ન જવા અને જ્યાં છો ત્યાં રોકાવા મુખ્યમંત્રીએ કરી અપીલ