આર્ટિકલ 370 ખતમ કરવા બદલ હું મોદી અને અમિત શાહની પૂજા કરું છું
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મો
ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદ હવે હું પીએમ મોદી અને અમિત શાહની પૂજા કરવા લાગ્યો છું. પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતો અનુચ્છેદ 370ને હટાવી દેશના પહેલા પીએમ જવાહરલાલ નેહરૂની ઐતિહાસિક ભૂલ સુધારી છે.

અનુચ્છેદ 370 હટાવી નેહરુની ઐતિહાસિક ભૂલ સુધારી
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અગાઉ પોતાના એક નિવેદનમાં પીએમ જવાહરલાલ નેહરૂને અપરાધી ગણાવ્યા હતા. જો કે સોમવારે પોતાના એ નિવેદન પર શિવરાજ સિંહ ચૌહાણે પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો. ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું 'જે કહ્યું હતું તે તથ્યો પર આધારિત હતું. જમ્મુ-કાશ્મીર પર પહોલા પીએમ જવાહરલાલ નેહરુ તરફથી જે ભૂલ કરવામાં આવી હતી તેને પીએણ મોદીએ સુધારી છે.'

શિવરાજ સિંહ ચૌહાણનું મોટું નિવેદન
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પહેલા હું પીએમ મોદ અને અમિત શાહને મારા નેતા માનતો હતો. તેમને શ્રદ્ધાની દ્રષ્ટિએ જોતો હતો, પરંતુ આ પગલા બાદ હું તેમની પૂજા કરું છું. જ્યારે સોનિયા ગાંધીને કોંગ્રેસના કામચલાઉ અધ્યક્ષ ચૂંટવા પર ચૌહાણે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે ફરીથી સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવ્યા, હવે કોંગ્રેસ ક્યાં જશે. આ મામલે રાહુલ ગાંધીની સોચના વખાણ કરું છું કે તેમણે બિન ગાંધી લાઓ, અધ્યક્ષ પદ સ્વીકાર ન કર્યું.

દિગ્વિજયનો પલટવાર
બીજી તરફ જવાહરલાલ નેહરુને લઈ શિવરાજ સિંહ ચૌહાણની ટિપ્પણી પર કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કર્યો. દિગ્વિજય સિંહે કહ્યું કે શિવરાજ સિંહ ચૌહાણ પંડિત નહેરૂના પગની ધૂળ પણ નથી, તેમને શરમ આવવી જોઈએ. જ્યારે દિગ્વિજયના નિવેદન પર પણ શિવરાજ સિંહ ચૌહાણે પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે હું કોઈ પરિવારનો ગુલામ નથી, માત્ર ભારત માતાના ચરણોની ધૂળ છું. જેની સેવા કરી હું મારા જીવનને સફળ, સાર્થક અને ધન્ય માનું છું. આપણો દેશ સ્વાભિમાન સાથે આગળ વધે એજ અમારો સંકલ્પ છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
