શિવ-રાજમાં સુરક્ષિત નથી મોદી, આઇબીએ જાહેર કર્યો એલર્ટ
નવી દિલ્હી, 20 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી વડાપ્રધાન પદની ઉમેદવારી સંભાળી છે અને કેન્દ્રના રાજકારણમાં જ્યારથી સક્રિય થયા છે તેમના વિરૂદ્ધ આતંકી હુમલાની આશંકાઓ વધી ગઇ છે. તાજેતરમાં જ બિહારના પટણામાં હુંકાર રેલી દરમિયાન થયેલા શ્રેણીબદ્ધ બોમ્બબ્લાસ્ટથી અંદાજો લગાવી શકાય કે નરેન્દ્ર મોદી કેટલી હદે આતંકવાદીઓના નિશાના પર આવી ગયા છે.
નરેન્દ્ર મોદી પર આતંકી હુમલાના ખતરા વધી ગયા છે. તેને ધ્યાનમાં રાખતા ગુપ્તચર એજન્સીએ નવો એલર્ટ જાહેર કર્યો છે. આઇબીએ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને નરેન્દ્ર મોદીની કેટલીક રેલીઓમાં આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરતાં એલર્ટ જાહેર કરી દિધો છે. આઇબીના અનુસાર મધ્યપ્રદેશમાં નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન આતંકી હુમલા થઇ શકે છે. કહેવામાં આવે છે કે શિવરાજ સિંહ ચૌહાણના રાજમાં પણ નરેન્દ્ર મોદી અસુરક્ષિત છે.

આઇબી એલર્ટમાં આતંકવાદી સંગઠન સિમીનું નામ લેતાં કહેવામાં આવ્યું છે કે જેલમાંથી ફરાર છ આતંકવાદી નરેન્દ્ર મોદીની રેલીઓમાં વિસ્ફોટક વડે ગાડીને ઉડાવી શકે છે. રેલીમાં એકઠી થનાર ભીડથી ઉત્સાહિત નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીસભાની ચૂંટણી દરમિયાન તાબડતોડ રેલીઓ કરી રહ્યાં છે. એવામાં નરેન્દ્ર મોદી આતંકવાદીઓના નિશાના પર છે. નરેન્દ્ર મોદીને લઇને હવે સુરક્ષા એજન્સીઓ કોઇ જોખમ ઉઠાવવા માંગતી નથી. એવામાં આઇબીએ એલર્ટ જાહેર કરી રાજ્ય સરકારોની સચેત કરી રહી છે.












Click it and Unblock the Notifications
