આતંકી હાફિઝ સઇદના નિશાના પર દિલ્હીનો લાલ કિલ્લો

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગદ્દાફી સ્ટેડિયમમાં શુક્રવારે ઇદ ઇલ ફિતરની પ્રાર્થના સભામાં પણ લશ્કર એ તૈયબાના સંસ્થાપક હાફિજ સઇદે હાજરી આપવાની ચર્ચા કરવામાં આવી છે. આ પહેલા સઇદે ટ્વિટર પર એક પોસ્ટમાં ઇદની ગ્રીટિંગ્સ સાથે ભારત વિરુદ્ધ કડક સંદેશ પણ જારી કર્યો છે.
મળતી માહિતી અનુસાર, હાફિજ સઇદે તાજેતરમાં જ કરાચીમાં આયોજિત એક રેલીમાં કહ્યું કે, જિહાદને માત્ર બીજા દેશો સુધી સીમિત નહી રાખીને ભારતમાં પણ જોર-શોરથી ફેલાવવો જોઇએ. તેમણે કહ્યું કે, જેવી સ્થિતિ છે, તેમાં દિલ્હીમાં 2000માં જે હુમલો કરવામાં આવ્યો હતો, તેવો હુમલો કરવો જરૂરી છે. આ હુમલાને કોઇ રોકી શકશે નહીં.












Click it and Unblock the Notifications
