નરેન્દ્ર મોદી ઇચ્છે તો AICCમાં ચા વેચવા આવી શકે છે: મણિશંકર ઐય્યર
નવી દિલ્હી, 17 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની બેઠક શુક્રવારે યોજવવા જઇ રહી છે અને આ દરમિયાન આગામી ચૂંટણીને લઇને રાહુલ ગાંધીને કમાન સોંપવા અને પાર્ટીની રણનિતીને લઇને બધાની નજરો મંડાયેલી છે.
બીજી તરફ પાર્ટીએ ગુરૂવારે જાહેરાત કરી રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને ગત કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને વિરામ આપી દિધો છે. રાહુલ ગાંધી એપ્રિલ મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નહી હોય પરંતુ તે પાર્ટીની ચૂંટણી અભિયાનની કમાન સંભાળાશે. પહેલાં એ વાતની ચર્ચાએ જોર પકડ્યું હતું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરશે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી 21મી સદીમાં તો વડાપ્રધાન બની નહી શકે. તેમને નરેન્દ્ર મોદી પર વ્યંગ કર્યો હતો કે નરેન્દ્ર મોદી ઇચ્છે તો અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીમાં ચા વેચવા આવી શકે છે.
કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરના આ વિવાદાસ્પદ નિવેદન પર હંગામો ઉશે તો નવાઇની વાત નથી. તે હંમેશાથી નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા રહ્યાં છે. મણિશંકર ઐય્યરે કહ્યું હતું કે ભાજપની દેશના કેટલાક ભાગોમાં હાજરી નથી તો એવામાં નરેન્દ્ર મોદી કેવી રીતે વડાપ્રધાન બની શકે છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
