સાંસદોએ PM પદ માટે ચૂંટ્યો તો જરૂર વિચારીશ: રાહુલ
અમેઠી, 23 જાન્યુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આગામી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન બનવાની પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓની જોરદાર માંગનો જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણી બાદ કોંગ્રેસ સત્તામાં આવશે અને જો સાંસદો તેમને વડાપ્રધાન પદ માટે ચૂંટે છે તો તેઓ ચોક્કસ વિચારશે.
રાહુલ ગાંધી પોતાના સંસદીય ચૂંટણી વિસ્તાર અમેઠીની મુલાકાતના બીજા અને છેલ્લા દિવસે પત્રકારો સાથે વાતચીતમાં એક સવાલ પર જણાવ્યું કે કોંગ્રેસમાં વડાપ્રધાનની પસંદગી ચૂંટાયેલા સાંસદો કરે છે, અમે ચૂંટણી લડીશું.
રાહુલે જણાવ્યું કે મનમોહન સિંહને પણ અમારા ચૂંટાયેલા સાંસદોએ વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા. કોંગ્રેસમાં પહેલાથી જ વડાપ્રધાન પદના દાવેદાર ચૂંટવાની પ્રથા નથી. આ લોકતાંત્રિક વ્યવસ્થા નથી પરંતુ વ્યક્તિવાદની વ્યવસ્થા છે. વડાપ્રધાન ચૂંટણી સાંસદોનો અધિકાર છે અને તે તેમની પાસે રહેવો જોઇએ.