IMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો
IMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો
દેશ આખો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. હાલમાં જ એલોપૈથીની ટિકા કરવા પર IMA ઉત્તરાખંડે બાબા રામદેવને એક હજાર કરોડની નોટિસ મોકલી હતી, જે બાદ પણ તેઓ પાછળ ન હટ્યા અને ડૉક્ટર્સ પર પ્રહારો ચાલુ રાખ્યા. એવામાં હવે IMAએ તેમને નવો પડકાર આપી દીધો છે, જો કે રામદેવ કે પતંજલિ તરફથી આ વિશે હજુ કંઈ જવાબ આવ્યો નતી.

પડકાર ફેંક્યો
IMA મુજબ બાબા રામદેવ એલોપૈથી પર ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે. તેવામાં તેમને ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ બાબા રામદેવે દાવો કર્યો હતો કે કેટલીક એલોપૈથીના હોસ્પિટલો પણ પતંજલિની દવાઓ લખે છે જેના પર IMAએ કહ્યું કે તેઓ આવા હોસ્પિટલની યાદી આપે. IMA મુજબ રામદેવ તરફથી કહેવામાં આવેલી દરેક વાત ખોટી છે, એવામાં તેઓ તેમને પબ્લિકમાં પૈનલ ડિસ્કશન કરવાનો ચેલેન્જ આપે છે.

નોટિસમાં શું કહ્યું
માનહાનિ નોટિસમાં ઈન્ડિયન મેડિકલ એસિોસિએશન (ઉત્તરાંચલ બ્રાંચ)એ લખ્યું કે જો રામદેવ આગલા 15 દિવસમાં લેખિત માફી ના માંગે તો તેની પાસેથી 1000 માંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં આઈએમએએ રામદેવના એલોપૈથી ચિકિત્સા પ્રોફેશન અને ચિકિત્સા કર્મીઓ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈ વાંધો જતાવ્યો હતો. સાથે જ સરકાર સમક્ષ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

IMA પ્રમુખે આ વાત કહી
IMAના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જેએ જયલાલે કહ્યું કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે રામદેવ વિરુદ્ધ કંઈપણ નથી. જો યોગ ગુરુ બાબા રામદેવ એલોપૈથી, મોડર્ન મેડિકલ સાયન્સ અને કોરોના વેક્સીન પર આપેલા પોતાના નિવેદન પાછા લઈ લે તો ફરિયાદ ખેંચી લેવા પર વિચાર કરશું.












Click it and Unblock the Notifications
