IMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો
IMA અને રામદેવ વચ્ચેનો વિવાદ વકર્યો, હવે ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો
દેશ આખો કોરોના મહામારીથી પરેશાન છે. ત્યારે બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનનો વિવાદ વકરતો જઈ રહ્યો છે. હાલમાં જ એલોપૈથીની ટિકા કરવા પર IMA ઉત્તરાખંડે બાબા રામદેવને એક હજાર કરોડની નોટિસ મોકલી હતી, જે બાદ પણ તેઓ પાછળ ન હટ્યા અને ડૉક્ટર્સ પર પ્રહારો ચાલુ રાખ્યા. એવામાં હવે IMAએ તેમને નવો પડકાર આપી દીધો છે, જો કે રામદેવ કે પતંજલિ તરફથી આ વિશે હજુ કંઈ જવાબ આવ્યો નતી.

પડકાર ફેંક્યો
IMA મુજબ બાબા રામદેવ એલોપૈથી પર ખોટી નિવેદનબાજી કરી રહ્યા છે. તેવામાં તેમને ખુલ્લી ચર્ચાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ બાબા રામદેવે દાવો કર્યો હતો કે કેટલીક એલોપૈથીના હોસ્પિટલો પણ પતંજલિની દવાઓ લખે છે જેના પર IMAએ કહ્યું કે તેઓ આવા હોસ્પિટલની યાદી આપે. IMA મુજબ રામદેવ તરફથી કહેવામાં આવેલી દરેક વાત ખોટી છે, એવામાં તેઓ તેમને પબ્લિકમાં પૈનલ ડિસ્કશન કરવાનો ચેલેન્જ આપે છે.

નોટિસમાં શું કહ્યું
માનહાનિ નોટિસમાં ઈન્ડિયન મેડિકલ એસિોસિએશન (ઉત્તરાંચલ બ્રાંચ)એ લખ્યું કે જો રામદેવ આગલા 15 દિવસમાં લેખિત માફી ના માંગે તો તેની પાસેથી 1000 માંગ કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતને પણ એક પત્ર લખવામાં આવ્યો હતો, જેમાં આઈએમએએ રામદેવના એલોપૈથી ચિકિત્સા પ્રોફેશન અને ચિકિત્સા કર્મીઓ વિરુદ્ધ આપેલા નિવેદનને લઈ વાંધો જતાવ્યો હતો. સાથે જ સરકાર સમક્ષ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

IMA પ્રમુખે આ વાત કહી
IMAના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જેએ જયલાલે કહ્યું કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે રામદેવ વિરુદ્ધ કંઈપણ નથી. જો યોગ ગુરુ બાબા રામદેવ એલોપૈથી, મોડર્ન મેડિકલ સાયન્સ અને કોરોના વેક્સીન પર આપેલા પોતાના નિવેદન પાછા લઈ લે તો ફરિયાદ ખેંચી લેવા પર વિચાર કરશું.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
