ઉત્તરાખંડના 7 જિલ્લાઓ પર સંકટ, આગામી 24 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
દેશના ઘણા રાજ્યોમાં વરસાદે વિનાશ વેર્યો છે. સતત થઈ રહેલા વરસાદના કારણે નદીઓનું જળસ્તર વધી રહ્યુ છે અને ઘણા રાજ્યોમાં પૂર આવી ચૂક્યુ છે. ઉત્તરાખંડમાં પણ વરસાદના કારણે લોકોની હાલત ખરાબ છે. ચમોલી જિલ્લામાં નદીનું જળસ્તર વધ્યા બાદ પાણીની ચપેટમાં આવવાથી એક મકાન ધ્વસ્ત થઈ ગયુ. આ દરમિયાન હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તરાખંડના દહેરાદૂ, ટિહરી, પૌઢી, નૈનીતાલ, ચમૌલી, રુદ્રપ્રયાગ અને પિથૌરાગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ થવાના અણસાર છે. સોમવારે પણ ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદના સમાચાર આવ્યા છે. રાજ્યના હવામાન વિભાગ કેન્દ્રએ જિલ્લા પ્રશાસનને જરૂરી પગલા ઉઠાવવાની સલાહ આપી છે. કેદારનાથ હાઈવે અને ગંગોત્રી હાઈવે પર વાહનોને વૈકલ્પિક રસ્તાઓ પરથી પસાર કરાવવામાં આવી રહ્યા છે.
અમુક સ્થળોએ ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં પૂરનો ખતરો વધી શકે છે. હવામાન વિભાગે પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ કરનારને સતર્ક રહેવા કહ્યુ છે. રાજ્ય સરકારને અધિકારીઓ સાથે સમન્વય બનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. કેદારનાથ-બદરીનાથ હાઈવે ત્રીજા દિવસે પણ ચાલુ થઈ શક્યો નથી જ્યારે ગંગોત્રી હાઈવે ફરીથી રવિવારે બંધ થઈ ગયો.
જો કે બદ્રીનાથ માર્ગ પર લોકો લામબગડથી લગભગ એક કિમી સુધી પગપાળા જઈને બીજી તરફ પહોંચી રહ્યા છે. યમુનોત્રી હાઈવે પર પરિવહન ચાલુ છે. પ્રદેશમાં લગભગ 100 સંપર્ક માર્ગ અવરોધાયેલા છે. મોટાભાગની નદીઓ જોખમના નિશાનથી ઉપર વહી રહી છે જ્યારે અહીં પહાડીથી અટકી અટકીને કાટમાળ પડવાનો ક્રમ ચાલુ છે. ગંગોત્રી હાઈવે ચુંગીબડેથીમાં ફરીથી બંધ થઈ ગયો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
