Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

10 નવેમ્બરે અજીત ડોભાલની આગેવાનીમાં દિલ્હીમાં અફઘાનિસ્તાન મુદ્દે મહત્વની બેઠક, રશિયા અને ઈરાન પણ સામેલ થશે!

ભારત 10 નવેમ્બરે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદનું આયોજન કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે.

નવી દિલ્હી, 5 નવેમ્બર : ભારત 10 નવેમ્બરે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન પર પ્રાદેશિક સુરક્ષા સંવાદનું આયોજન કરવા જઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકનું નેતૃત્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કરશે. સપ્ટેમ્બર 2018 અને ડિસેમ્બર 2019માં ઈરાનમાં આવી બે બેઠકો થઈ ચૂકી છે. ત્રીજી બેઠક ભારતમાં જ નક્કી કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે તે અગાઉ થઈ શકી ન હતી. મળતી માહિતી મુજબ, રશિયા અને ઈરાન આ બેઠકમાં ભાગ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ પાકિસ્તાન અને ચીન તેનાથી દૂર રહેવા માંગે છે.

ajit doval

સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વાતચીત માટે ભારત તરફથી મોકલવામાં આવેલા આમંત્રણને ઘણા દેશો તરફથી મજબૂત સમર્થન મળી રહ્યું છે. રશિયા અને ઈરાન સહિત ઘણા દેશો તેમાં ભાગ લેવા માટે સંમત થયા છે. આ બેઠકમાં માત્ર અફઘાનિસ્તાનના પડોશી દેશો જ નહીં પરંતુ મધ્ય એશિયાના દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારત દ્વારા આવતા અઠવાડિયે આયોજિત આ બેઠક માટે ઘણા દેશોના સમર્થનને કારણે એવું લાગે છે કે અફઘાનિસ્તાન અંગે ચિંતા વધી છે અને તમામ દેશો આ મુદ્દે પરસ્પર સહયોગ અને સંકલન માટે પોતપોતાની તરફથી સક્રિયતા દાખવી રહ્યા છે. આ પ્રક્રિયામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાન અને ચીનને પણ હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ પાકિસ્તાનના NSA મોઇદ યુસુફે મીડિયા દ્વારા સંકેત આપ્યા છે કે તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં. જોકે, ચીન અને પાકિસ્તાન બંને તરફથી ઔપચારિક જવાબની રાહ જોવાઈ રહી છે. ભારત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ આઘાતજનક નથી. આ તેની અફઘાનિસ્તાનના રક્ષક તરીકે દેખાવાની માનસિકતા દર્શાવે છે. પાકિસ્તાને અગાઉ આવી બેઠકોમાં ભાગ લીધો નથી. મીડિયામાં ભારત વિરુદ્ધ તેની ટિપ્પણીઓ અફઘાનિસ્તાનમાં તેની ઘાતક ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો નિષ્ફળ પ્રયાસ છે.

અફઘાનિસ્તાનની વચગાળાની સરકારના ડેપ્યુટી પીએમ અબ્દુલ સલામ હનાફીના નેતૃત્વમાં તાલિબાનના પ્રતિનિધિમંડળે બે અઠવાડિયા પહેલા ભારતીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કર્યા પછી મોસ્કોમાં આ વાટાઘાટો થઈ રહી છે, જેમાં ભારતે માનવતાના આધાર પર મદદ આપવાનું કહ્યું હતું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન-અફઘાનિસ્તાન-ઈરાન વિભાગના સંયુક્ત સચિવ જેપી સિંહે કર્યું હતું.

સપ્ટેમ્બર 2018 અને ડિસેમ્બર 2019માં ઈરાનમાં આવી બેઠકો યોજાઈ હતી, પરંતુ કોરોના મહામારીના કારણે મંત્રણા ગયા વર્ષે થઈ શકી ન હતી. પરંતુ હવે આ વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. અમેરિકી દળોને અફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું અને કાબુલ તાલિબાન આતંકવાદીઓ દ્વારા કબજે કરવામાં આવ્યું. અમેરિકન સૈનિકો ત્યાં બે દાયકા સુધી હાજર હતા, પરંતુ તેઓએ અફઘાનિસ્તાનનું ભવિષ્ય આતંકવાદીઓના હાથમાં ખૂબ જ અપમાનજનક રીતે છોડવું પડ્યું. ભારત પોતાની સુરક્ષાને કારણે પણ અફઘાનિસ્તાનની સ્થિતિ પર આંખ આડા કાન કરી શકતું નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X