યુપીએ સરકારમાં છે 'મૌની બાબા ઔર 90 ચોર'! : યશવંત સિન્હા

તેમણે પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને તેમના મંત્રીમંડળની તૂલના અલીબાબાની વાર્તા સાથે કરી નાખ્યો. યશવંત સિન્હાએ જણાવ્યું કે 'આપણે અલી બાબા અને 40 ચોરની તો વાર્તા સાંભળી હતી પરંતુ હું મારી સામે 'એક મૌનીબાબા અને 90 ચોરની વાર્તા જોઇ રહ્યો છું.'
જોકે યશવંત સિન્હા સીબીઆઇના એ સોગંધનામા પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જેમાં તપાસ એજન્સીએ માન્યું છે કે કોલસા કૌભાંડની સ્ટેટસ રિપોર્ટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સીબીઆઇના નિર્દેશકે જણાવ્યું કે કાનૂનમંત્રી અને પીએમઓના અધિકારીઓના કહેવા પર ડ્રાફ્ટ રિપોર્ટમાં ફેરફાર કર્યો હતો. સીબીઆઇ નિર્દેશ રંજીત સિન્હાએ સુપ્રીમ કોર્ટમાં 9 પાનાનું સોગંદનામુ રજૂ કર્યું હતું.
યશવંત સિન્હાએ કહ્યું કે 'સરકાર ગમે તે કહે, પરંતુ આજે આ સોગંદનામાથી બિલકૂલ સ્પષ્ઠ થઇ ગયુ છે કે પીએમ અને કાનૂનમંત્રીના કહેવા પર સીબીઆઇ રિપોર્ટમાં પરિવર્તન કરવામાં આવ્યો. જેના કારણે રિપોર્ટ નબળો થઇ ગયો.'
જ્યારે સરકારના મંત્રી આ મુદ્દા પર કંઇપણ કહેવાથી પાછીપાની કરી રહ્યા છે. વિદેશમંત્રી સલમાન ખુર્શીદે જણાવ્યું કે કેસ હજી કોર્ટમાં ચાલી રહ્યો છે માટે તેની પર કંઇપણ ટિપ્પણી કરીશ નહી. જ્યારે સૂચના પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ પણ આ જ દલિલ આપીને નિવેદન આપવાનો ઇનકાર કર્યો.












Click it and Unblock the Notifications
