India China Row: મોલ્ડોમાં 15 કલાક ચાલી 9માં દોરની વાતચીત, ભારતે કહ્યુ - ચીને પાછળ હટવુ જ પડશે
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે ભારત અને ચીન વચ્ચે 9માં દોરની વાતચીત મોડી રાતે અઢી વાગ્યા સુધી ચાલી.
The 9th round of India China Corps Commander level talks finished around 2:30 am today: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે રવિવારે ભારત અને ચીન વચ્ચે 9માં દોરની વાતચીત મોડી રાતે અઢી વાગ્યા સુધી ચાલી. 15 કલાક ચાલેલી આ મેરેથૉન વાતચીત ઈસ્ટર્ન લદ્દાખ સ્થિત ચુશુલ સેક્ટરના મોલ્ડોમાં થઈ. વાતચીતમાં મુખ્ય રીતે બંને દેશો પોતાની સેનાઓને એલએસી પર પાછળ હટવા અંગે વાતચીત કરવામાં આવી. તમને જણાવી દઈએ કે બેઠક પહેલા જ એરચીફ માર્શલે ચીનને કહી દીધુ હતુ કે ભારતને પણ આક્રમક થતા આવડે છે પરંતુ વાતચીત પહેલા સમસ્યાનો ઉકેલ ઈચ્છે છે.

આ પહેલા 6 નવેમ્બર 2020એ બંને દેશોની સેનાઓ વચ્ચે બેઠક થઈ હતી. આ બેઠકમાં પણ મુખ્ય રીતે નિશ્ચિત ક્ષેત્રથી સેનાને પાછળ હટવા માટે વાતચીત થઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લગભગ 9 મહિનાઓથી તણાવની સ્થિતિ બનેલી છે. બંને દેશો તરફથી લદ્દાખમાં સેના અને હથિયાલોની ભારે તૈનાત કરવામાં આવ્યા છે. ભારત તરફથી આર્ટિલરી ગન, ટેંક સહિત તમામ હથિયારો સીમા પર તૈનાત રાખ્યા છે પરંતુ તે શાંતિથી જ સીમા વિવાદને ઉકેલવાની કોશિશોમાં લાગેલુ છે.
LAC પર ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી પરંતુ ચીની પક્ષ વારંવાર સમજૂતીનુ ઉલ્લંગન કરીને ભરોસોના નબલો કરી રહ્યો છે. હવે ચીનને સપ્ટેમ્બરમાં ભારત સાથે થયેલ સમજૂતીનુ ઉલ્લંઘન કર્યુ છે. ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ પૂર્વ લદ્દાખમાં ચીની સેના અમુક મહિનાઓમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(LAC) પર તણાવવાળા ક્ષેત્રોમાં ચીને પોતાના સૈનિકોની સંખ્યા વધારી છે. જ્યારે ચાર મહિના પહેલા સપ્ટેમ્બરમાં ચીને ખુદ જ પ્રસ્તાવ આપ્યો હતો કે બંને પક્ષોનો તણાવ ઘટાડવા માટે સંઘર્ષવાળા ક્ષેત્રમાં વધુ સૈનિકો ન મોકવા જોઈએ. હાલમાં ચીનની આ હરકત બાદ ભારતીય સેના પણ સંપૂર્ણપણે સતર્ક છે. ભારતીય સેનાએ પણ પોતાની સ્થિતિમાં પરિવર્તન કર્યુ છે.
'આપણે વાતચીતના માધ્યમથી આ મુદ્દાનો ઉકેલ કાઢીશુ'
જ્યારે બે દિવસ પહેલા જ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે(Rajnath Singh) ભારત (india) અને ચીન (china)ના પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ ગતિરોધ (India China East Ladakh standoff) પર મીડિયામાં નિવેદન આપ્યુ હતુ કે જ્યાં સુધી ચન પોતાના સૈનિકોને ઘટાડશે નહિ ત્યાં સુધી ભારતીય સૈનિકોની સંખ્યામાં ઘટાડો નહિ થાય પરંતુ તેમણે વિશ્વાસ અપાવ્યો કે આપણે વાતચીતના માધ્યમથી આ મુદ્દાનો ઉકેલ લાવી દઈશુ. સંરક્ષણ મંત્રીએ આગળ કહ્યુ કે ભારત ઝડપથી બૉર્ડરના વિસ્તારોમાં નિર્માણ કાર્ય કરી રહ્યુ છે અને ચીને આપણા અમુક પ્રોજેક્ટ્સનો વિરોધ પણ કર્યો છે પરંતુ ભારત પાછળ હટવાનુ નથી, આપણે કોઈને પણ પોતાની સીમામાં ઘૂસવા નહિ દઈએ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
