ભારતનો ઇ-બોમ્બ દુશ્મનોના ઇ-નેટવર્કનો બોલાવશે કચ્ચરઘાણ
હૈદરાબાદ, 29 ઓગસ્ટ : ભારતીય સંરક્ષણ વિભાગે ઇ-બોમ્બ બનાવવામાં સફળતા હાંસલ કરી છે. હવેથી સરહદે થનારા યુદ્ધ દરમિયાન બંદૂકો અને મોર્ટાર સેલના અવાજ નહીં સભળાય. કારણ કે ભારતીય સેના હવે ઇ-બોમ્બથી સજ્જ બની છે. ઇ બોમ્બના ઇલેક્ટ્રોમેગ્નેટિક શોક તરંગો દુશ્મનની તમામ ઇલેક્ટ્રોનિક સર્કિટ અને કમ્યુનિકેશનના નેટવર્કને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. દેશની સરંક્ષણ વિકાસ સંસ્થા ડીઆરડીઓ પ્રમુખ અવનીશ ચંડેરે આ જણાવ્યું હતું.
એક ખાનગી અખબાર સાથેની મુલાકાતમાં ચંડેરે જણાવ્યું કે, "તે એવું હથિયાર હશે જે તીવ્ર ઇલેક્ટ્રોમેગ્નેટિક મુક્ત કરશે, જે તેના કવરેજ એરિયામાં રહેલા હથિયારોને શોધી શકશે. તેનાથી નિર્ધારિત લક્ષ્યનું સ્પેક્ટ્રમ બોર્ડ પર જોઈ શકાશે. આ બોમ્બ દુશ્મનના પ્રત્યાયન, સંચાલન અને નિયંત્રણની સમગ્ર સિસ્ટમને બ્રેક કરી શકશે. હૈદરાબાદ ખાતેની ડીઆરડીઓ લેબોરેટરીમાં આ અંગેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. થોડા જ વર્ષોમાં આ બોમ્બને સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લઈ શકાશે.

ડીઆરડીઓના ડિરેક્ટર જનરલે કહ્યું કે આ ઇ-બોમ્બ તમામ પ્રકારના સંચાર વ્યવસ્થા, તેમજ ઇલેક્ટ્રોનિક સાધનોને નષ્ટ કરી શકે છે. આ ઇ-બોમ્બ દુશ્મન સેનાના મોબાઇલ ટાર્ગેટ, હવાઈ સુરક્ષા વ્યવસ્થા તેમજ મોબાઇલ રડાર સહિતની સંચાર વ્યવસ્થાને નષ્ટ કરવા માટે સેનાને ઉત્તમ વિકલ્પ પૂરો પાડશે.
ઇ-બોમ્બમાં ગોઠવાયેલ જીપીએસ સિસ્ટમ તેને આસપાસના જોખમનો અંદાજ આપશે અને તેના આધારે આગામી હુમલાની વ્યુહરચના ઘડાવામાં ઉપયોગી બનશે. અન્ય એક ડીઆરડીઓ અધિકારની કહ્યા પ્રમાણે આ ઇ-બોમ્બ વિમાનવાહક જહાજ દ્વારા તેમજ ક્રુઝ મિસાઇલ દ્વારા પ્રહાર કરવા સક્ષમ હશે.












Click it and Unblock the Notifications
