ચીન સામે યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ભારત? લદ્દાખમાં મંત્રણા બાદ પણ ભારતને ચીન પર વિશ્વાસ નહીં!
પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ગયા વર્ષે શરૂ થયેલો ચીન સાથેનો સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. જોકે બંને દેશ તણાવને સમાપ્ત કરવા સંમત થયા છે અને તાજેતરમાં લશ્કરી કમાન્ડરની 12 મી રાઉન્ડની વાતચીત પણ યોજાઈ હતી.
પૂર્વી લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ગયા વર્ષે શરૂ થયેલો ચીન સાથેનો સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. જોકે બંને દેશ તણાવને સમાપ્ત કરવા સંમત થયા છે અને તાજેતરમાં લશ્કરી કમાન્ડરની 12 મી રાઉન્ડની વાતચીત પણ યોજાઈ હતી. વાતચીત દરમિયાન, બંને દેશો ગોગરા પેટ્રોલિંગ પોઇન્ટ પરથી સૈનિકો પાછા ખેંચવા સંમત થયા છે, પરંતુ આમ છતાં, ભારતને ચીન પર વિશ્વાસ નથી અને મોદી સરકાર વિવાદના અંત તરીકે લેવા ઉતાવળ કરવા માંગતી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની ભૂતકાળની હરકતને જોતા નરેન્દ્ર મોદી સરકાર પૂર્વ લદ્દાખમાં ચીન સાથે લાંબા સંધર્ષ માટે તૈયાર છે. અરુણાચલ પ્રદેશમાં 1986 ના સુમદોરોંગ ચુ લશ્કરી વિવાદને ઉકેલવામાં લગભગ આઠ વર્ષ લાગ્યા. આને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પૂર્વ લદ્દાખમાં પ્રવર્તમાન મડાગાંઠ પર ભારતીય સ્થિતિને એકતરફી નબળી પાડ્યા વિના સૈન્ય મંત્રણાના વધુ રાઉન્ડ માટે તૈયાર છે. આ સાથે ભારતીય સેના પૂર્વ સેક્ટર પર કડક નજર રાખી રહી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ એક અંતહિન રાત છે.
લદ્દાખ કોર કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પીજીકે મેનને જણાવ્યું હતું કે, 'ભારતીય દૃષ્ટિકોણ એ છે કે બંને સેનાઓ વચ્ચેના તમામ વિવાદિત મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ. તેમાં દેપસાંગ બેલજે અને ગોગરા-હોટ સ્પ્રિંગ્સનો સમાવેશ થાય છે, જ્યાં ચાઇનીઝ આર્મી આક્રમક સ્થિતિ ઉભી કરી રહી છે.
મોદી સરકાર એ મુદ્દે સ્પષ્ટ છે કે ચીન સાથે દ્વિપક્ષીય સંબંધો ફરી શરૂ કરવાનો માર્ગ લદ્દાખ એલએસીના પ્રસ્તાવથી પસાર થાય છે. મોદી સરકાર 1980 ના દાયકાની સમાંતર મુત્સદ્દીગીરી સૂચવતા કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહી નથી. ઉદાહરણ તરીકે પૂર્વી લદ્દાખમાં લશ્કરી ગતિરોધ દરમિયાન આર્થિક સંબંધો પુન: સ્થાપિત કરવા. આનું કારણ એ છે કે પીએલએ પૂર્વીય લદ્દાખમાં એલએસી પર તૈનાત છે. આ ઉપરાંત, ચાઇનીઝ એરફોર્સ એડવાન્સ ફાઇટર એરક્રાફ્ટ અને મિસાઇલ સિસ્ટમથી વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં તેના એર બેઝને મજબૂત કરી રહ્યું છે.