ભારત-રશિયા વચ્ચે થયા ચાર અરબ ડોલરના 10 કરાર

પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રક્ષા, અંતરિક્ષ, વ્યાપાર અને નિવેશ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષા, સંસ્કૃતિ અને પર્યટન સહિત દ્વપક્ષીય મહત્વના તમામ પ્રમુખ વિષયો પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. બન્ને નેતાઓ વચ્ચે મુખ્ય બેઠકોનું સ્થાન આખરી પળોમાં બદલવામાં આવ્યું હતું.
પહેલા આ બેઠક ઇન્ડિયા ગેટ પાસે હૈદરાબાદ હાઉસમાં થવાની હતી, પરંતુ બન્ને નેતાઓ 7 રેસ કોર્સ રોડ સ્થિત પ્રધાનમંત્રીના સરકારી આવાસમાં મળ્યા હતા. ગયા સપ્તાહે દિલ્હીમાં સામુહિક બળાત્કારની ઘટના બન્યા બાદ ઇન્ડિયા ગેટ પાસે યુવાઓએ વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન કરતા બેઠકના સ્થાનમાં પરિવર્તન કરવું પડ્યું હતું.
પુતિનની આ નાની ટૂંકી યાત્રા છે, તે અંદાજે 18 કલાક ભારતમાં રહેશે, આજની શિખર બેઠક બાદ સિંહે કહ્યું કે, અમે ક્ષેત્રિય અને વૈશ્વિક મહત્વના મુદ્દા પર પણ ચર્ચા કરી. તેમાંથી ઘણા મુદ્દા પર અમારા વિચારો મળતા આવતા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમારી પરમાણું ઉર્જા કાર્યક્રમનો વિકાસ અમારી રણનીતિક ભાગીદારીના મુખ્ય સ્તંભ રહ્યા છે. તેમમે કહ્યું કે, કુડનકુલમ પરમાણુ વિજળી પરીયોજનાના પહેલા યુનિટનું નિર્માણ હવે પુરુ થઇ ચૂક્યું છે અને વિજળી ઉત્પાદન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતને બીજા યુનિટનું નિર્માણ આગામી વર્ષમાં પૂર્ણ થાય તેવી આશા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કુડનકુલમના ત્રીજા અને ચોથા યુનિટોના નિર્માણની વાતચિતમાં સારી પ્રગતિ થઇ છે. અમે પરમાણું ઉર્જા ક્ષેત્રમાં સહયોગ માટે રુપરેખાને લાગુ રાખવાની ઇચ્છા ધરાવે છે. વર્ષ 2010માં રશિયાના તત્કાલિન પ્રધાનમંત્રી પુતિનની ભારત યાત્રા દરમિયાન આ પ્રારૂપ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
