ભારત વધુ 40 દેશોને આગમન પર વિઝાની સુવિધા આપશે

visa
નવી દિલ્હી, 8 ઓક્ટોબર : હવે ભારતે વધુ 40 દેશોના નાગરિકોને વિઝા ઓન એરાઇવલ એટલે કે આગમન પર વિઝાની સુવિધા આપવાની દિશામાં પ્રક્રિયા શરૂ કરી છે. ભારત સરકારે આ પગલાં ભારતમાં વિદેશી પર્યટકોને આકર્ષવા અને ટુરિઝમનો વિકાસ કરવા માટે ભર્યું હોવાનું માનવામાં આવે છે. આયોજન પંચ દ્વારા સોમવારે બોલાવવામાં આવેલી ઉચ્ચ સ્તરની બેઠકમાં આ મુદ્દાઓ પર સહમતિ બનાવી હતી.

આ અંતર્ગત 40 વધારે દેશોને માટે આગમન પર વિઝા આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ માટે ઓનલાઇન પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવશે. આ ઉપરાંત વિદેશના સિનિયર સિટિઝનોને માટે પણ પ્રક્રિયા વધારે સરળ બનાવવામાં આવશે.

આ બેઠક યોજના મંત્રી રાજીવ શુક્લએ બોલાવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને પર્યટન અનુકૂળ દેશ બનાવવાની પ્રક્રિયા શરૂ કરાવી દીધી છે. તથા લગભગ 40થી વધારે દેશોમાં આગમન પર વિઝાની સુવિધા આપવા પર સહમતિ બનાવી છે. મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિત તમામ અધિકારીઓનું માનવું હતું કે ભારતે આમ કરવાની જરૂર એટલા માટે છે કે તેનાથી દેશને વધારે વિદેશી મુદ્રા મળી શકે એમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X