નેવીના ભૂતપૂર્વ ઓફિસની મોતની સજા પર ભારતે કહ્યું આ
પાકિસ્તાની મિલેટ્રી કોર્ટે ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી છે. જાધવને ગત વર્ષે પાકિસ્તાનમાં જાસૂસી કરવાના આરોપ હેઠળ પકડવામાં આવ્યો હતો.
પાકિસ્તાન ની મિલેટ્રી કોર્ટે ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી છે. જાધવની ગત વર્ષે પાકિસ્તાનમાં જાસુસી કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. વધુમાં પાકિસ્તાન સરકારે જાધવના પ્રત્યર્પણ અંગે પણ ભારતને સ્પષ્ટ ના પાડી છે.

વીડિયો
જાધવ ગત વર્ષે તે સમયે પકડવામાં આવ્યો હતો જ્યારે તે ઇરાનથી બલૂચિસ્તાનમાં દાખલ થઇ રહ્યા હતા. પાકિસ્તાન ના વિદેશ મામલાના સલાહકાર સરતાજ અજીજે આરોપ લગાવ્યો છે કે જાધવ પાકિસ્તાનમાં વિનાશક અને આંતકી ગતિવિધિઓમાં સામેલ હતા. ગત વર્ષે માર્ચમાં ઇસ્લામાબાદમાં એક વીડિયો પણ રિલિઝ કર્યો હતો જેમાં જાધવનું કબૂલનામું હતું કે તેવી રીતે ભારતના એન્જિનિયર બલૂચિસ્તાનમાં હિંસા અને અલગાવવાદની આગને વધારે છે.
ભારતે શું કહ્યું
આ અંગે ભારત ના વિદેશ સચિવ એસ જયશંકરે પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતને બોલાવ્યો છે. અને જણાવ્યું છે કે આ કેસમાં પાકિસ્તાન દ્વારા કાનૂની પ્રક્રિયાને ફોલો નથી કરવામાં આવી. અને આ વાતને ભારત જાણી જોઇને કરવામાં આવતી હત્યાના રૂપમાં જોશે. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતીય ઉચ્ચઆયોગને તે વાતની પણ જાણકારી નથી આપી કે જાધવનું ટ્રાયલ શરૂ થયું છે. એટલું જ નહીં ભારતમાં પણ અનેક લોકો જાધવની મોતની સજાને લઇને નાખુશ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
