ભારતીય દિલે બચાવ્યો પાકિસ્તાની કિશોરીનો જીવ, 10 વર્ષથી હાર્ટની ગંભીર બિમારીથી પીડિત હતી આયેશા
Indian Heart Save Pakistani Teenage Life: ફેશન ડિઝાઈનર બનવા માંગતી 19 વર્ષની પાકિસ્તાની કિશોરી છેલ્લા 10 વર્ષથી હાર્ટની ગંભીર બિમારીથી પીડિત હતી. પાકિસ્તાનમાં સારી આરોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે તે પરિવાર સાથે ભારત આવી અને તેને નવુ જીવન મળ્યુ.
19 વર્ષની પાકિસ્તાની કિશોરી આયેશા રાશન જ્યારે ભારત આવી ત્યારે બચવાની સંભાવના માત્ર 10 ટકા હતી પરંતુ હવે તે એકદમ સ્વસ્થ છે અને તેના હ્રદયમાં ભારતીય દિલ ધડકી રહ્યુ છે.

ઓગણીસ વર્ષની આયેશા રાશન છેલ્લા એક દાયકાથી હૃદયની ગંભીર બીમારીથી પીડિત હતી. 2014માં, તેણે ભારતની મુલાકાત લીધી હતી જ્યાં તેના નિષ્ફળ હૃદયને ટેકો આપવા માટે હાર્ટ પંપનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. કમનસીબે, ઉપકરણ બિનઅસરકારક સાબિત થયું અને ડોકટરોએ તેનો જીવ બચાવવા માટે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની ભલામણ કરી.
આયેશા રાશનના પરિવારે ચેન્નાઈની MGM હેલ્થકેર હૉસ્પિટલમાં ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડૉ. કે.આર. બાલક્રિષ્નન અને સહ-નિર્દેશક ડૉ. સુરેશ રાવ પાસેથી સલાહ લીધી હતી. મેડિકલ ટીમે સલાહ આપી હતી કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ જરૂરી છે કારણ કે આયેશાના હાર્ટ પંપમાં લીક થઈ ગયું હતું અને તેને એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) પ્રક્રિયા પર મૂકવામાં આવી હતી.
જો કે, ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા માટે જરૂરી અંદાજે રૂ. 35 લાખ પૂરા પાડવા માટે પરિવાર અસમર્થ હતો. ત્યારબાદ મેડિકલ ટીમે પરિવારને ઐશ્વર્યમ ટ્રસ્ટ સાથે જોડ્યો, જેણે આર્થિક મદદ કરી. છ મહિના પહેલાં, આયેશા રાશનને દિલ્હીથી હૃદય મળ્યું હતું, અને દેશમાં 18 મહિનાના રોકાણ પછી MGM હેલ્થકેરમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી મફતમાં કરવામાં આવી હતી.
આયેશાએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ બાદ ખુશી વ્યક્ત કરી અને ડકટરો સહિત ભારત સરકારનો તેમના સમર્થન માટે આભાર માન્યો. આયેશાની માતા સનોબરે કહ્યુ કે જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે આયેશાની જીવવાની આશા માત્ર 10 ટકા જ હતી. સનોબરે કહ્યું કે, સાચું કહું તો, ભારતની સરખામણીએ પાકિસ્તાન પાસે કોઈ સારી તબીબી સુવિધાઓ નથી. ભારત ખૂબ મૈત્રીપૂર્ણ છે. જ્યારે પાકિસ્તાનમાં ડૉક્ટરોએ કહ્યું કે ટ્રાન્સપ્લાન્ટની કોઈ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે અમે ડૉ.કે.આર.બાલકૃષ્ણનનો સંપર્ક કર્યો. હું સારવાર માટે ભારત અને ડૉક્ટરોનો આભાર માનું છું. આયેશા હવે ફેશન ડિઝાઈનર બની શકશે."
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
