જમ્મુ કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ
એર સ્ટ્રાઇકના બીજા જ દિવસે જમ્મુ કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ થયું છે. જે જાણકારી મળી રહી છે તેના અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઇ છે.
એર સ્ટ્રાઇકના બીજા જ દિવસે જમ્મુ કાશ્મીરના બડગામમાં વાયુસેનાનું લડાકુ વિમાન ક્રેશ થયું છે. જે જાણકારી મળી રહી છે તેના અનુસાર ટેક્નિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઇ છે. જે જાણકારી મળી રહી છે તેના અનુસાર બે લાશ મળી આવી છે. પરંતુ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી થઇ શકી કે તે લાશ પાયલોટની છે કે નહીં. પોલીસની એક ટીમ જગ્યા પર પહોંચી ચુકી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભારતના હુમલાથી ગભરાયેલા પાકે સિયાલકોટમાં ઉતાર્યા ટેંક, સ્થિતિ તણાવપૂર્ણ
સવારે લગભગ 10 વાગીને 40 મિનિટ પર ક્રેશ
પોલીસ ઘ્વારા મળેલી જાણકારી અનુસાર ઇન્ડિયન એરફોર્સનું જેટ વિમાન બડગામથી 7 કિલોમીટર દૂર સવારે લગભગ 10 વાગીને 40 મિનિટ પર ક્રેશ થયું છે. બડગામ એસપી ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જગ્યાથી બે લાશ મળી આવી છે. તેમને કહ્યું એ વિમાનમાં ટેક્નિકલ ખામી થઇ હોવાને કારણે આ દુર્ઘટના થઇ છે. ટેક્નિકલ ટીમ પણ જગ્યા પર પહોંચી ચુકી છે અને તપાસ કરવામાં આવી રહી છે.
|
સ્થાનીય નાગરિકના મૌતની ખબર
સૂત્રો ઘ્વારા જગ્યા પર એક સ્થાનીય નાગરિકની પણ મૌતની ખબર આવી રહી છે. પરંતુ હજુ સુધી તેની કોઈ અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી.
ભારતીય સીમમાં પાકિસ્તાની વિમાન ઘુસ્યા
પુલવામાં હુમલાનો બદલો લેતા ભારતીય વાયુસેનાએ પીઓકેમાં જોરદાર એર સ્ટ્રાઇક કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા હતા. હવે ખબર આવી રહી છે કે પાકિસ્તાની એરફોર્સના વિમાન ભારતીય સીમમાં ઘુસી આવ્યા છે. જમ્મુ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને હવાઈ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. સૂત્રો ઘ્વારા જે જાણકારી મળી રહી છે તેના અનુસાર ભારતે પાકિસ્તાની વિમાનોને ત્યાંથી ભગાડી દીધા છે. પરંતુ સેના ઘ્વારા તેના વિશે કોઈ પણ પુષ્ટિ કરવામાં નથી આવી. કહેવામાં આવ્યું છે કે ભારતીય સેના ઘ્વારા પાકિસ્તાનની હરકતનો જવાબ આપવામાં આવશે.