For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા અંદરના લોકો દ્વારા મદદ: કેજરીવાલ

By Super
|
Google Oneindia Gujarati News

arvind kejriwal protest
નવીદિલ્હી, 16 ઑક્ટોબરઃઆઇએસી કાર્યકર્તા અને રાજકારણી અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે, ભ્રષ્ટ નેતા અને બેઝિનેસમેનને ઉઘાડા પડાવા માટે અંદરના લોકો દ્વારા મદદ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ તેઓ વધુ લોકોને ઉઘાડા પાડવા માટે મદદ કરશે.

કેજરીવાલે જણાવ્યા પ્રમાણે તેને સરકારના મોટા અધિકારી, કોર્પોરેટ લોકો, એનજીઓ અને રાજકીય પાર્ટીઓ અંગે માહિતી મેળવી રહ્યાં છે. આઇએસી નેતાએ કહ્યું છે કે તે અને તેમની ટીમ ઘણા ભ્રષ્ટ નેતાઓ અને તેમના ડબલ ડિજિટને ઉઘાડા પાડશે. એક સમાચાર પત્ર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, તમામ પ્રકારની માહિતી તેમને મળી રહી છે.

તેમણે કહ્યું કે અન્ય મહત્વના મંત્રીઓ પણ આઇએસીના હિટ-લિસ્ટમાં છે, જેમના અંગે વારાફરતી ખુલાસો કરવામાં આવશે.

કેજરીવાલ કે જેઓ તાજેતરમાં જ રાજકારણમાં જોડાયા છે. તેઓ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા વિરુદ્ધ જમીન કૌભાંડનો ખુલાસો કરીને તથા કેન્દ્રીય કાયદા મંત્રી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને રાજકીય ક્ષેત્રે ધમાલ મચાવી દીધી છે. વાઢેરા પર ડીએલએફ સાથે કરવામાં આવેલી ડીલમાં ગોટાળાનો તથા ખુર્શિદ પર તેમના પત્ની દ્વારા ચલાવવામાં આવી રહેલા એનજીઓમાં અનિયમિતતાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

નોંધનીય છ કે, કેજરીવાલે જાહેર કર્યું છે કે તેઓ બુધવારે સાંજે ભાજપના ચિફ નિતિન ગડકરી વિરુદ્ધ ચોંકાવનારા ખુલાસા કરશે.

English summary
India Against Corruption (IAC) activist-turned-politician Arvind Kejriwal has said that 'insiders' were revealing information about corrupt leaders and businessmen and they would help exposing more people in days to come.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X