Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે સીનિયર સિટિઝન માટે વાઘા બોર્ડર પર તત્કાળ વિઝા

indian-visa
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉભા થયેલા લશ્કરી તણાવની વચ્ચે આજે 15 જાન્યુઆરી, 2013 મંગળવારથી બંને દેશો વચ્ચે ઐતિહાસિક વિઝા નિયમ અમલી બન્યો છે. આ નવા વિઝા નિયમ અનુસાર હવે 65 વર્ષથી વધારે ઉંમર એટલે કે વરિષ્ઠ નાગરિકોને 'વિઝા ઓન અરાઇવલ' એટલે કે વિઝા માટે અરજી કર્યા વગર વાઘા બોર્ડર પરથી જ સીધા વિઝા મળી શકશે.

આ સુવિધા વાઘા બોર્ડર પર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમલી રહેશે. સીનિયર સિટીઝનને હવે'વિઝા ઓન અરાઇવલ' સરળતાથી મળશે. જેથી તેઓ ઝંઝટમુક્ત મુસાફરી કરી શકશે. આ વિઝાની 45 દિવસ સુધી માન્ય રહેશે. ભારતમાં આ વિઝા દ્વારા પાંચ જગ્યાએ યાત્રા કરી શકાશે જ્યારે પાકિસ્તાનનાં સીનિયર સિટીઝન વર્ષમાં બે વાર આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે. વિઝાની કિંમત ફક્ત 100 રૂપિયા રાખવામાં આવી છે.

જો કે એક નિયમ અનુસાર આ વિઝાનો ઉપયોગ કરનારાઓએ એ ધ્યાનમાં રાખવું પડશે કે જવા અને પાછા આવવા માટે તેમણે ફક્ત વાઘા બોર્ડરનો જ ઉપયોગ કરવો પડશે. આ સુવિધા અન્ય કોઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ફાયરીંગ અને બાદમાં ભારતીય જવાનોની હત્યાને લઈને ચાલી રહેલા વિખવાદની વચ્ચે આજથી આ વિઝા નિયમ સરળ થઈ જશે. સબંધોમાં મજબૂતી લાવવા માટે ભારત અને પાકિસ્તાન આ વિઝા નિયમ માટે રાજી થયું હતું જેનો ફાયદો બંને દેશોનાં સીનિયર સિટીઝનને મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X