હવે સીનિયર સિટિઝન માટે વાઘા બોર્ડર પર તત્કાળ વિઝા
આ સુવિધા વાઘા બોર્ડર પર સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અમલી રહેશે. સીનિયર સિટીઝનને હવે'વિઝા ઓન અરાઇવલ' સરળતાથી મળશે. જેથી તેઓ ઝંઝટમુક્ત મુસાફરી કરી શકશે. આ વિઝાની 45 દિવસ સુધી માન્ય રહેશે. ભારતમાં આ વિઝા દ્વારા પાંચ જગ્યાએ યાત્રા કરી શકાશે જ્યારે પાકિસ્તાનનાં સીનિયર સિટીઝન વર્ષમાં બે વાર આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે. વિઝાની કિંમત ફક્ત 100 રૂપિયા રાખવામાં આવી છે.
જો કે એક નિયમ અનુસાર આ વિઝાનો ઉપયોગ કરનારાઓએ એ ધ્યાનમાં રાખવું પડશે કે જવા અને પાછા આવવા માટે તેમણે ફક્ત વાઘા બોર્ડરનો જ ઉપયોગ કરવો પડશે. આ સુવિધા અન્ય કોઈ ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ફાયરીંગ અને બાદમાં ભારતીય જવાનોની હત્યાને લઈને ચાલી રહેલા વિખવાદની વચ્ચે આજથી આ વિઝા નિયમ સરળ થઈ જશે. સબંધોમાં મજબૂતી લાવવા માટે ભારત અને પાકિસ્તાન આ વિઝા નિયમ માટે રાજી થયું હતું જેનો ફાયદો બંને દેશોનાં સીનિયર સિટીઝનને મળશે.