For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા વિસ્ફોટઃ જેડીયુ નેતાની કરાઇ પૂછપરછ

|
Google Oneindia Gujarati News

bodhgaya-blast
બોધગયા, 10 જુલાઇઃ બિહારના બોધગયામાં આવેલા મહાબોધિ મંદિર પરિસરમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઇએએ પોતાના હાથમાં લઇ લીધી છે. આ મામલે એનઆઇએ દ્વારા જેડીયુના એક વિદ્યાર્થી નેતાની પૂછપરછ કરવામાં આવી છે. એનઆઇએ અને આઇબીએ જેડીયુની વિદ્યાર્થી પાંખના સચિવ ગુંજન પટેલથી પટનામાં લાંબા સમય સુધી પૂછપરછ કરી છે.

મહાબોધિ મંદિરના સીસીટીવી ફૂટેજમાં પટેલ જોવા મળ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, પટેલ એક મહિલા સાથે મંદિરમાં આવ્યો હતો. પટેલના એ મહિલા સાથેના સંબંધ અંગે પણ પૂછવામાં આવ્યું છે. તપાસ એજન્સીઓ દ્વારા પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે બુધવારે બોધગયા પહોંચ્યા છે. બન્નેએ મહાબોધિ મંદિરનું નિરિક્ષણ કર્યું. સોનિયા ગાંધી અને શિંદે વિસ્ફોટના ત્રણ દિવસ પછી બોધગયા પહોંચ્યા છે.

બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઇએના સૂત્રોનું કહેવું છે કે, શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં સ્થાનિક લોકોનો હાથ હોઇ શકે છે. તપાસકર્તાઓએ વિસ્ફોટ સંબંધે પૂરાવા આપનારાને 10 લાખ સુધીનું ઇનામ આપવાની ધોષણા કરી છે. સૂત્રોએ વધુંમાં કહ્યું છે કે, જે આઇઇડીના વિસ્ફોટ નહીં થયાં તેના ડીએનએના સેમ્પલ લેવામાં આવશે. બોસ્ટન વિસ્ફોટમાં પણ આ જ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

English summary
interrogation of JDU leader by NIA in bodhgaya mahabodhi temple serial blast.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X