રાહુલ ગાંધી પર પણ દેખાઇ રહી છે ‘મોદી ઇફેક્ટ’
નવી
દિલ્હી,
21
જાન્યુઆરીઃ
અખિલ
ભારતીય
કોંગ્રેસ
કમિટીમાં
પોતાના
ભાષણ
દરમિયાન
આક્રમક
જણાયેલા
રાહુલ
ગાંધીએ
ભલે
કોંગ્રેસના
કાર્યકર્તાઓમાં
એક
જોશનો
સંચાર
કર્યો
હોય,
પરંતુ
આ
સર્વે
અનુસાર
હજુ
પણ
તેઓ
એક
સારા
વક્તા
નથી.
વન
ઇન્ડિયા
દ્વારા
કરવામાં
આવેલા
ઓનલાઇન
પોલમાં
એ
પરિણામ
સામે
આવ્યું
છે
કે
ભાજપના
પીએમ
પદના
ઉમેદવાર
નરેન્દ્ર
મોદી
એક
સારા
વક્તા
છે.
79
ટકા
લોકોને
લાગે
છે
કે,
મોદીન
ભાષણ
વધારે
પ્રભાવી
છે,
જ્યારે
21
ટકા
લોકોને
રાહુલના
ભાષણ
પ્રભાવી
લાગ્યા
છે.
સર્વેમાં
કુલ
14,604
મત
પડ્યા,
જેમાંથી
મોદીના
પક્ષમાં
11,530
લોકોએ
મત
આપ્યા
જ્યારે
રાહુલને
3,074
લોકોનું
સમર્થન
મળ્યું.
દેશ ભરમાં આયોજિત રેલીઓમાં મોદીને ઘણું સમર્થન મળી રહ્યું છે, જ્યારે વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન દિલ્હીમાં રાહુલની રેલીમાંથી લોકો ઉઠીને જતા રહ્યાં હતા, ત્યાર બાદ રાહુલે પોતાનું ભાષણ નાનું કરવું પડ્યું. એઆઇસીસીમાં કરવામાં આવેલા ભાષણ અને ત્યારબાદ તેમણે વાર્તામાં મજાકિયા અંદાજનો પણ પ્રયોગ કર્યો. એઆઇસીસીમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ લોકોનું માર્કેટિંગ એટલું સારું છે કે આ લોકો ટાલિયાને પણ કાંસકો વેંચી શકે છે, તો ગઇ કાલે કોંગ્રેસ નેતાઓ સાથેની મુલાકાતમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર ઉપર તેમણે કહ્યું કે, ઘોડાની દોડ બે પ્રકારની હોય છે, એક જે રેસમાં દોડે છે અને બીજા જે લગ્નમાં વરરાજાને આપવામાં આવે છે. અમારાથી ભૂલ થઇ ગઇ અને અમે લગ્ન માટેના ઘોડાને રેસમાં ઉતારી દીધો, પરંતુ લોકસભાની ચૂંટણીમાં આવું નહીં થાય.
કહેવામાં આવી રહ્યું છે કે મોદીની જેમ રાહુલ પણ પોતાના ભાષણોને રોચક બનાવવા માટે આ પ્રકારના ટૂચકાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. વિધાનસભા ચૂંટણીમાં તે આધી રોટી ખાયેંગે અને કોંગ્રેસ કો લાયેંગે જેવા જોડકાંનો પ્રયોગ કરતા હતા, જેનો પ્રભાવ તેમની સરકાર વિરુદ્ધ રહ્યો. મોદીએ પોતાની રેલીઓના ભાષણમાં રોચકતા, તથ્ય અને ઘટનાક્રમોના વર્ણનનો સારો સમાવેશ કરી રહ્યાં છે, સાથે જ તેમની બોલવાની શૈલી પણ સ્ત્રોતાઓને પ્રભાવિત કરી રહી છે. કહીં શકાય છે કે રાહુલ પર પણ ‘મોદી ઇફેક્ટ' જોવા મળી રહી છે.