ઈશરતના હત્યારાઓને ફાંસીએ ચડાવો : નુસરત જહાં

ઉલ્લેખનીય છે કે મુંબઇ પાસેના મુંબ્રાની રહેવાસી ઈશરત જહાં અને અન્ય ત્રણને વર્ષ 2004માં અમદાવાદ નજીક ગુજરાત પોલીસના અધિકારીઓની ટીમે નકલી એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. સીબીઆઈએ તેની ચાર્જશીટમાં આ બાબત જાહેર કર્યા બાદ ઈશરતના પરિવારજનોએ માગણી કરી છે કે તે એન્કાઉન્ટરના કાવતરાખોરોને ફાંસીના માચડે લટકાવી દેવા જોઈએ.
સીબીઆઈએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટને સુપરત કરેલા પોતાના તપાસ અહેવાલમાં કાવતરાખોરોના નામ નથી આપ્યા તેથી ઈશરતનો પરિવાર નારાજ છે. ઈશરતના કાકા રઉફ લાલાએ જણાવ્યું કે સીબીઆઈએ જણાવ્યું નથી કે ઈશરત ત્રાસવાદી હતી કે નહીં. અમારું માનવું છે કે સીબીઆઈની પૂરક ચાર્જશીટમાં તે સ્પષ્ટ થઈ જશે.
આ બાબતે ઈશરતની બહેન નુસરત જહાંએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, સીબીઆઈના અહેવાલથી અમે ખુશ થયાં છીએ, કારણ કે તેનાથી સાબિત થયું છે કે મારી બહેન નિર્દોષ હતી અને તેને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવી હતી. પરંતુ અમે એટલા બધા ખુશ પણ નથી થયા કારણ કે ઈશરતની હત્યા કરનાર કાવતરાખોરોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. તે એન્કાઉન્ટરમાં જેમનો હાથ હતો તે બધાયને ફાંસી આપવી જોઈએ.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
