રશ્દીને મુસ્લિમ વિદ્વાનોએ મોહંમદ પયંગબર પર ચર્ચા કરવા ફેંક્યો પડકાર
મુંબઇમાં રવિવારે એક સેમિનાર અજમત-એ-રસૂલ (પયંગબર સાહેબની મહાનતા)માં કેટલાક વિદ્વાનોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન એનજીઓ વહાદત-એ-ઇસ્લામી હિંદે કર્યું હતું. સેમિનાર દરમિયાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યો અને વકીલ યૂસૂફ મુચાલાએ પોતાના પ્રસ્તાવથી ચોંકાવી દિધા હતા. તેમને કહ્યું હતું કે 'અમારે સલમાન રશ્દીના મુંબઇ આવવાનો વિરોધ કરવાના બદલે તેમને કેટલાક પ્રશ્નો પૂછવા જોઇએ. જો તેમનામાં દમ હોય તો તેમને સટેનિક વર્સિઝ જેવું બકવાસ પુસ્તક કયા આધારે લખ્યું. 'પર્સનલ લો બોર્ડના લીગલ સેલના પ્રમુખ મુચાલાએ આ સાથે મુસ્લિમોને અપીલ કરી હતી કે તે સલમાન રશ્દી વિરૂદ્ધ હિંસક પ્રદર્શન ન કરે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના ઉપન્યાસ 'મિડનાઇટ્સ ચિલ્ડ્ર્ન' પર દિપા મહેતા દ્રાર બનાવવામાં આવેલી ફિલ્મના પ્રચાર અંગે મુંબઇ આવનાર છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં લોના પ્રોફેસર શકીલ સમદાનીએ પણ મુચાલાને સમર્થન આપ્યું છે. તેમને કહ્યું હતું કે 'સલમાન રશ્દીને મુસ્લિમોની ભાવનાઓને સમજવી જોઇએ. મુસ્લિમોને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવાના બદલે ડિબેટનો પડકાર ફેંકવો જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન રશ્દીને લઇને વહાદત-એ-ઇસ્લામીનું વલણ ગત વર્ષ સુધી કડક હતું. સંગઠને સલમાન રશ્દીની ભારત યાત્રાનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સલમાન રશ્દીને પોતાની યાત્રા રદ કરવી પડી હતી.