ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29
ઈસરો આજે શ્રીહરિકોટાથી લૉન્ચ કરશે GSAT-29
નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઇસરો) આજે તમિલનાડુના શ્રીહરિકોટાથી સંચાર ઉપગ્રહ જીએસએટી-29 લૉન્ચ કરશે. 3423 કિલોગ્રામ વજન ધરાવતા ઉપગ્રહને પ્રક્ષેપણ યાન જીએસએલવી-એમકે3-ડી2 દ્વારા શ્રી હરિકોટા રન્જથી સાંજે 5.8 વાગ્યે લૉન્ચ કરવામાં આવશે. જો કે, ખરાબ વાતાવરણને કારણે પ્રક્ષેપણ સમયને આગળ વધારવામાં આવી શકે છે. તમિલનાડુના તટીય વિસ્તારમાં આજે સાંજ સુધી ગાજા તોફાન ટકરાય તેવી સંભાવના છે.

શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી રૉકેટ લૉન્ચ કરાશે. આસરોનું આ બીજું સૌથી વધુ વજન ધરાવતું રોકેટ હશે, જે ચેન્નઈથી 90 કિમી દૂરથી લૉન્ચ થશે. ઈસરોની વેબસાઈટ પર કહેવામાં આવ્યું છે કે ઉપગ્રહમાં હાજર પ્રોપલ્શન સિસ્ટમનો ઉપયોગ કરી જીઈઓમાં પહોંચવામાં આવશે, અને પ્રક્ષેપકથી અલગ થઈને નિર્ધારિત કક્ષામાં પહોંચવામાં કેટલાક દિવસનો સમય લાગી શકે છે.
ઈસરો મુજબ, જીએસએલવી-એમકે4 રોકેટની આ બીજી ઉડાન હશે, જે લૉન્ચ થયા બાદ 10 વર્ષ સુધી કામ કરશે. લૉન્ચ થયા બાદ પૃથ્વીથી 36,000 કિમી દૂર જિયો સ્ટેશનરી ઑર્બિટમાં સ્થાપિત થશે. આ ભારતના દૂરદરાજના ક્ષેત્રમાં હાઈ સ્પીડ ડેટાને ટ્રાન્સફર કરવામાં મદદ કરશે. આજે લૉન્ચ થનાર ઈસરોનું આ વર્ષનું આ પાંચમું રોકેટ હશે.
આ પણ વાંચો- ખેડૂતોને પડતા પર પાટુની સ્થિતિઃ અમૂલ ડેરીએ દૂધના ભાવ ઘટાડ્યા
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
