ઇસરો - ટાટા મોટર્સે નવા ઇંધણ હાઇડ્રોજનથી સંચાલિત બસ બનાવી
બેંગલોર, 29 જુલાઇ : ટાટા મોટર્સ લિમિટેડ તથા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરોએ)એ દેશમાં પહેલીવાર હાઇડ્રોજન સંચાલિત ઓટોમોબાઇલ બસ તૈયાર કરી છે. બંને સંસ્થાઓએ અનેક વર્ષોના સંશોધન બાદ આ બસ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ બસનું પ્રદર્શન તમિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના કેન્દ્રીય લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

બસમાં નવા ઇંઘણનો ઉપયોગ
ટાટા મોટર્સ લિમિટેડ તથા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરોએ)એ દેશમાં પહેલીવાર હાઇડ્રોજન સંચાલિત ઓટોમોબાઇલ બસ તૈયાર કરી છે.

અનેક વર્ષે મળી સફળતા
બંને સંસ્થાઓએ અનેક વર્ષોના સંશોધન બાદ આ બસ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ બસનું પ્રદર્શન તમિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના કેન્દ્રીય લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

પ્રદૂષણ રહિત બસ
આ બસ સીએનજીથી ચાલનારી બસ જેવી જ છે. તેમાં ઉચ્ચ દબાણવાળી હાઇડ્રોજનની બોટલ્સ બસના છાપરા પર હોય છે. આ પ્રકારના ઇંધણથી કોઇ જ પ્રકારનું પ્રદૂષણ નથી થતું. હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે.

ક્રાયોજેનિક ટેકનોલોજી
આ બસમાં સંપૂર્ણ રીતે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ લિક્વિડ હાઇડ્રોજન હેંડલિંગ છે. તેમાં ઇસરો નિષ્ણાત છે.

નવી ટેકનોલોજી
હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે. આ ટેકનોલોજી પર ઇસરો છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહ્યું છે.

ભવિષ્ય માટે નવો વિકલ્પ ખૂલ્યો
ભવિષ્યના પરિવહન માટે આ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. આ વાહનથી કોઇ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય.
આ સફળતા અંગે ઇસરોના અધિકારીઓએ જણાવ્યું કે આ બસ સીએનજીથી ચાલનારી બસ જેવી જ છે. તેમાં ઉચ્ચ દબાણવાળી હાઇડ્રોજનની બોટલ્સ બસના છાપરા પર હોય છે. આ પ્રકારના ઇંધણથી કોઇ જ પ્રકારનું પ્રદૂષણ નથી થતું. હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે. આ ટેકનોલોજી પર ઇસરો છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ બસમાં સંપૂર્ણ રીતે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ લિક્વિડ હાઇડ્રોજન હેંડલિંગ છે. તેમાં ઇસરો નિષ્ણાત છે.
ઇસરો તથા ટાટા મોટર્સે હાઇડ્રોજનથી સંચાલિત બસના વિકાસ માટે વર્ષ 2006માં સમજુતી કરી હતી. ઇસરોના માનદ સલાહકાર વી જી ગાંધી તથા ટાટા મોટર્સના ઉપ મહાપ્રબંધક ડૉ એમ રાજાએ આ જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર બંને સંસ્થાઓએ ભારતમાં પહેલીવાર આ પ્રકારના ઇંધણવાળી કોઇ બસને બનાવી છે. તે હાઇડ્રોજનથી ચાલે છે. ગાંધીએ જણાવ્યું કે "ભવિષ્યના પરિવહન માટે આ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. આ વાહનથી કોઇ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય."
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
