IT Raid: 196.45 કરોડ પાછા માંગવા કોર્ટ પહોંચ્યા પીયુષ જૈન, કહ્યું- 52 કરોડ ટેક્સ કાપી બાકીની રકમ મને આપો
બેનામી સંપત્તિ મેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પીયૂષ જૈન દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે મારા પર ટેક્સ ચોરી અને દંડ સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે. DGGI 52 કરોડનો ટેક્સ અને પેનલ્ટી બાદ
બેનામી સંપત્તિ મેળવવાના આરોપમાં ધરપકડ કરાયેલા પીયૂષ જૈન દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે મારા પર ટેક્સ ચોરી અને દંડ સહિત 52 કરોડ રૂપિયાનો ટેક્સ લાગે છે. DGGI 52 કરોડનો ટેક્સ અને પેનલ્ટી બાદ કરીને બાકીની રકમ મને પરત કરશે. વાસ્તવમાં DGGI અમદાવાદે રિકવર થયેલી રોકડને ટર્નઓવરની રકમ ગણી છે. આવી સ્થિતિમાં પીયૂષ દંડની રકમ ભરીને જ જામીન મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે પીયૂષ જૈનના કાનપુર અને કન્નૌજના લોકેશન પરથી 196.45 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. આટલી મોટી રિકવરી બાદ DGGIએ પીયૂષ જૈનની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી પિયુષને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં કાનપુર જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યો હતો. પિયુષ હાલ જેલમાં બંધ છે.
177.45 કરોડ કરચોરીની રકમ: DGGI વકીલ
DGGIના વકીલ અંબરીશ ટંડને બુધવારે 29 ડિસેમ્બરે જણાવ્યું હતું કે પીયૂષ જૈનના ઘરેથી રિકવર કરાયેલી રકમ કરચોરીની રકમ છે. વસૂલ કરાયેલી રકમ 42 બોક્સમાં રાખીને બેંકમાં જમા કરવામાં આવી છે. વકીલ અંબરીશ ટંડનના જણાવ્યા અનુસાર કાનપુરમાં 177 કરોડ 45 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે, જે ભારતીય સ્ટેટ બેંકમાં બે વખત જમા કરવામાં આવી છે. પ્રથમ વખત 25 બોક્સમાં 109 કરોડ 34 લાખ 74 હજાર 240 રૂપિયા. જ્યારે બીજી વખત 17 બોક્સમાં 68 કરોડ 10 લાખ 27 હજારની રકમ બેંકમાં મોકલવામાં આવી છે.
કરચોરી દ્વારા જમા કરવામાં આવેલી રકમ
પીયૂષ જૈનના અરેસ્ટ મેમો મુજબ 2021માં પિયુષ જૈનની ત્રણ કંપનીઓમાં માત્ર 21 કરોડના ટ્રાન્ઝેક્શન જ દર્શાવવામાં આવ્યા છે. વકીલ અંબરીશ ટંડનના જણાવ્યા અનુસાર, પિયુષે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું છે કે પાન મસાલ કમ્પાઉન્ડને 4 વર્ષમાં 177.45 કરોડમાં ગુપ્ત રીતે ત્રણ કંપનીઓ દ્વારા વેચવામાં આવ્યું હતું. તેણે કોની પાસેથી માલ ખરીદ્યો, કોને વેચ્યો તે જાહેર કરવામાં આવ્યું નથી. જે સાબિત કરે છે કે દર વર્ષે તેણે જીએસટી વગર 45 કરોડનો સામાન વેચ્યો હતો. આ રીતે તેણે છેલ્લા 4 વર્ષમાં લગભગ 31.50 કરોડની ચોરી કરી છે.
52 કરોડની દેણદારી બને છે
ટંડનના કહેવા પ્રમાણે ડીજીજીઆઈએ 32 કરોડનો ટેક્સ બનાવ્યો છે, જેમાં દંડ સહિત 52 કરોડની જવાબદારી સર્જાઈ છે. તેમણે કહ્યું કે હજુ તપાસ ચાલુ છે. કન્નોજમાં કેટલું સોનું અને નાણા મળ્યા, તેની વિગતો હજુ આવી નથી. અત્યાર સુધીમાં પિયુષના સાત સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે જ્યાં કરચોરી મળી આવી છે. આ કિસ્સામાં, GST ટાળવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ અને કેસ સાથે જોડાયેલા અન્ય લોકો પર પણ સવાલ ઉઠાવવો પડશે.
ડીઆરઆઈ સોનાની તપાસમાં વ્યસ્ત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે પીયૂષ જૈનના ઘરેથી મળેલા સોનાના બિસ્કિટ પર વિદેશી નિશાની છે. જેના કારણે આ સોનાનું આંતરરાષ્ટ્રીય કનેક્શન પણ સામે આવી રહ્યું છે. હા, તપાસ એજન્સીને શંકા છે કે આ સોનું દાણચોરી કરવામાં આવ્યું છે. કારણ કે પીયૂષના ઘરેથી ઝડપાયેલું સોનું સ્વિસની બે કંપનીઓનું હોવાની આશંકા છે. જો કે આ સોનું દુબઈ સાથે પણ જોડાઈ શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમ સોનાની ઈંટોની તપાસમાં લાગેલી છે.
જાણો પીયૂષ જૈનના ઘરેથી કેટલી રોકડ મળી
આવકવેરા વિભાગ અને GST ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ જનરલ (DGGI) એ છ દિવસના દરોડામાં પિયુષ જૈનના તમામ સ્થળોએથી 196.45 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. રોકડ વિશે માહિતી આપતા DGGIએ કહ્યું કે કાનપુરમાં પિયુષના ઘરેથી 177.45 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. તો કન્નૌજના ઘરમાંથી 19 કરોડ રૂપિયાની રોકડ મળી આવી છે. તે જ સમયે, 23 કિલો સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા છે, જેની કિંમત લગભગ 11 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ચંદનનું તેલ પણ મળી આવ્યું છે, જે 600 કિલો છે અને તેની કિંમત 6 કરોડ રૂપિયા છે. આ રીતે DGGI ટીમે રોકડ અને સામાન સહિત કુલ 213.45 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આટલી મોટી રકમ મળ્યા બાદ પીયૂષની ધરપકડ કરીને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.