જે. પી. પટેલ અને ઉદયસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા, પાટીલે પહેરાવ્યો ખેસ
મહિસાગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જે. પી. પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશના કર્મઠ પ્રધાનસેવક નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની રાષ્ટ્ર અને વિકાસની વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઇ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો વિકાસના કામને વેગ આપવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહ્યા છે, ત્યારે આજે મહિસાગર જિલ્લાના ભાજપના પૂર્વ પ્રમુખ જે. પી. પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં જે. પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં આજે મારી સાથે લુણાવાડા વિધાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો, કોર્પોરેટર, સંગઠનના હોદ્દેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરમા લાગી જશે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન માત્ર આપણા, પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાશ્રીઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું.
ઉદયસિંહ ચૌહાણએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશના ગૃહમંત્રી અમિત શાહની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ આજે હું ભાજપમાં જોડાયો છું. હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છું, પરંતુ કોઇક કારણોસર પાર્ટી છોડી હતી. આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.
આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષો ગોરધન ઝડફિયા, જયંતી કવાડિયા, પ્રભારી મંત્રી બચુ ખાબડ, સાંસદો રતનસિંહ રાઠોડ, જશવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ દશરથસિંહ બારિયા, ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પ્રભારી રાજેશ પાઠક સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન











Click it and Unblock the Notifications
