મની લોન્ડ્રીગ મામલે અભિનેત્રી જૈકલિંનને નવો સમન્સ મોકલવામાં આવશે
ઠગ સિકેશ ચંદ્રશેખર સાથે જાડેયાલા કથિત 200 કરોડ રૂપિયાના રંગદારી મામલે બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાંડીઝની સંડવણીને લઇને ઇડી દ્વારા તેની પુછપરછ કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા સોમવારે તેને નોટિસ ફટકારીને બોલ
ઠગ સિકેશ ચંદ્રશેખર સાથે જાડેયાલા કથિત 200 કરોડ રૂપિયાના રંગદારી મામલે બોલિવૂડ અભિનેત્રી જૈક્લીન ફર્નાંડીઝની સંડવણીને લઇને ઇડી દ્વારા તેની પુછપરછ કરવામાં આવશે. આ માટે દિલ્હી પોલીસ દ્વારા સોમવારે તેને નોટિસ ફટકારીને બોલાવામાં આવી હતી પરંતુ તેને હાલ સ્થગિત કરવામાં આવ્યુ છે. હવે અભિનેત્રીને દિલ્હી પોલીસ આગામી દિવસોમાં પછપરછ માટે નોટિસ મોકલશે.
મોંઘા ગિફ્ટને લઇને તપાસ
ઇડીએ દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવલે પ્રાથમિક તપાસને લઇને કથિત મનિલૉડ્રિંગનો કેસ દાખલ કર્યો હતો. ઇંડીએ પહેલા કહ્યુ હતુ કે, ફર્નાડિઝના નિવેદન 30 ઓગસ્ટ અને 20 ઓક્ટોબર 2021 ના રોજ દાખલ નોધવામાં આવ્યા હતા. જ્યાં તેણે ચંદ્રશેખર પાસેથી ગિફ્ટ સ્વીકારવાની વાત કરી હતી. ઇડી જણાવ્યું હતુ કે, અભિનેત્રીએ ભારત અને વિદેશમાં પોતાના પરિવારના સભ્યો માટે કિમતી ગિફ્ટનો ઉપયોગ કર્યો હતો. જે મની લોંડ્રિગ એક્ટ અંતર્ગત ગુનો બને છે.
મની લૉંડ્રિંગ સાથે જોડાયેલો મામલો
સુકેશ ચદ્રશેખરના ખઓટા ઠગ કરવાના મામલે ઇડીએ પોતાના ચાર્જીશીટમાં જૈકલીને મની લૉન્ડ્રીંગ મામલમાં દોશિત ઠેરવી છે. જેમા સુકેશ પણ સામેલ છે. ઇડીની ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે. જૈકલીનને સુકેશના ગુનાહિત કાવતરા મામાલા અંગે માહિતી હતી. તેમ છતા તેણે તેને નજર અંદાજ કરી હતી.
દિલ્હી પોલીસ કરશે પુછપરછ
આ મામલે તપાસમાં સામેલ થવા જૈકલીન ફર્નાડીજને નોટિસ ફટકારવામાં આવી છે. આ સમન દિલ્હી પલોીસની ગુન્હા શાખા દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. અધિકારીએ જણાવ્યુ હતુ કે, જૈકલીન ફર્નાડીઝ સપ્ટેમ્બરમાં મંદિર માર્ગ ખાતે આવેલ ઇઓડબ્યુ કાર્યાલય સવારે 11 વાગે તપાસ માટે બોલાવામાં આવી હતી.
એક્ટ્રેસના અનુરોધ પર પુછતાછ સ્થગિત કરવામાં આવી
બૉલિવૂડ અભિનેત્રી જૈકલીન ફર્નાડીઝને સોમવાલે પુછપરછને સ્થગિત કરવામાં માટે અનુરોધ કર્યો હતો. ત્યાર બાદ એક વધુ સમન આપવામાં આવ્યુ હતુ. ફરી તેમને ક્યારે બોલાવામાં આવશે તે નક્કી કરવામાં નથી આવ્યુ. નવા સમનમાં તેમને સમય, તારીખ અને જગ્યા અંગે જણાવામાં આવશે. એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજેન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, દિલ્હી પોલીસે ઇમેઇલ દ્વારા જૈકલિન ફર્નાંડિઝને જાણ કરવામાં આવી છે કે, 12 સપ્ટેમ્બરના રોજ તેમણે તપાસ માટે નથી આવાનું. આ મામલે તપાસ માટે નવો સમન્સ પાઠવામાં આવશે.