જમ્મુ-કાશ્મીર: સોપોરમાં બસ સ્ટેન્ડ નજીક ગ્રેનેડે હુમલો, 6 લોકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, માહિતી અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધો હતો, આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદીઓએ ગ્રેનેડ વડે હુમલો કર્યો છે, માહિતી અનુસાર સુરક્ષાદળોને નિશાન બનાવી બસ સ્ટેન્ડ નજીક આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંકી દીધો હતો, આ હુમલામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઈજાગ્રસ્તોમાં એક મહિલા શામેલ છે. હાલમાં, સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે યુરોપિયન યુનિયન (EU) ના સાંસદોનું 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીરની મુલાકાતે જઇ રહ્યું છે, યુરોપિયન યુનિયન (ઈયુ) ના સાંસદોના 28-સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. આર્ટિકલ 37૦ દૂર થયા બાદ યુરોપિયન યુનિયન (ઇયુ)ની આ પહેલી મુલાકાત છે.
#UPDATE Kashmir Zone Police: Terrorists lobbed a grenade on civilians at bus stand in Sopore. Six civilians sustained injuries. Information is preliminary in nature. https://t.co/XMFrLYJVsE
— ANI (@ANI) October 28, 2019
આ પણ વાંચો: Jammu Kashmir: પાકિસ્તાની રેન્જર્સે હીરા નગર સેક્ટરમાં ફાયરિંગ કરી