પુલવામાઃ સેનાને મોટી સફળતા, હિઝબુલનો આતંકી રિયાઝ નાઈકુ ઠાર મરાયો
જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અવંતિપોરામાં હિઝબુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર રિયાઝ નાઈકૂને ઠાર માર્યો છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામાં બુધવારે સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાબળોએ અવંતિપોરામાં હિઝબુલ મુજાહિદ્દીનના ટૉપ કમાંડર રિયાઝ નાઈકૂને ઠાર માર્યો છે. નાઈકૂને રાતે જ સુરક્ષાબળોએ ઘેરી લીધા હતા. પુલવામાના અવંતિપોરામાં થયેલા એનકાઉન્ટરમાં નાઈકૂ ઉપરાંત અમુક બીજા આતંકીઓને ઘેરી રાખ્યા હતા જેમાં જૈશના આતંકી પણ હતા. નાઈકૂનુ ઠાર થવુ સુરક્ષાબળો માટે મોટી સફળતા છે. વળી, ઘાટીમાં હિઝબુલનો સૌથી મોટી ઉંમરનો કમાન્ડર હતો જેની શોધ છેલ્લા અઢી વર્ષથી સુરક્ષાબળોને હતી. ઘાટીમાં મંગળવાર રાતથી ત્રણ અલગ અલગ જગ્યાઓએ એનકાઉન્ટર ચાલી રહ્યુ છે.
એકસાથે ત્રણ એંટી-ટેરર ઑપરેશન્સ
પુલવામાના અવંતિપોરામાં થયેલા એનકાઉન્ટરમાં નાઈકૂ ઉપરાંત અમુક બીજી ગતિવિધિઓને ઘેરવામાં આવી હતી. જેમાં જૈશના આતંકી પણ હતા. નાઈકૂના ઠાર થવાથી સેના અને સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. તે ઘાટીમાં હિઝબુલનો સૌથી મોટી ઉંમરનો કમાંડર હતો જેની શોધ છેલ્લા અઢી વર્ષથી સુરક્ષાબળોને હતી. નાઈકૂ એક મોસ્ટ વૉન્ટેડ આતંકી છે જેને જીવતો કે મરેલો પકડવા પર 12 લાખ રૂપિયાનુ ઈનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પોલિસે આ વાતની પુષ્ટિ મોડી રાતે કરી હતી કે ટૉપ ટેરરિસ્ટ કમાન્ડરને પુલવામા એનકાઉન્ટમાં ઘેરી લેવામાં આવ્યો છે.
ઈન્ડિયન આર્મી તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે વધુ એક એનકાઉન્ટર ખીરયુમાં ચાલી રહ્યુ છે તેમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. વધુ બીજા આતંકી અહીં છૂપાયા છે એક આતંકીને અવંતિપોરના સરસૈલમમાં ઠાર કરવામાં આવ્યો છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. મંગળવારે સેનાના વિશેષ ઈન્ટેલીજન્સ મળી હતી જેમાં આતંકીઓ છૂપાયા હોવાની વાત કહેવામાં આવી હતી. ત્યારબાદ જમ્મુ કાશ્મીર પોલિસ, સેના અને સીઆરપીએફ તરફથી એક જોઈન્ટ ઑપરેશન્સ લૉન્ચ કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ વિદેશોમાં ફસાયેલા ભારતીયોને કેટલુ ચૂકવવુ પડશે ફ્લાઈટનુ ભાડુ, જુઓ આખુ લિસ્ટ