શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને અથડામણમાં ઠાર માર્યા
જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સમાચાર મુજબ આ ઑપરેશનમાં બે આતંકવાદી ફસાઈ ગયા હતા. જો કે, જવાનોએ તેમને ઠાર માર્યા છે. શનિવારની સવારે પોલિસ તરફથી આ એનકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહેમદ ચેક નિવાસી બ્રારીપોરા તેમજ રાજા બાસિજ નસીર નિવાસી શોપિયાં અને આચન પુલવામાંનો રહેવાસી હતો.

પોલિસ, સેના અને સીઆરપીએફના એક સંયુક્ત દળે આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ હતુ. જેવુ સુરક્ષાબળોની ટીમે શંકાસ્પદ સ્થળનુ સર્ચ કર્યુ તો છૂપાયેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાદ શરુ કરી દીધો જેની વળતી કાર્યવાહીમાં અથડામણ શરુ થઈ ગઈ.
તમને જણાવી દઈએ કે શુક્રવારે અનંતનાગ જિલ્લામાં પણ અથડામણ થઈ હતી જેમાં એક હિઝબુલનો આતંકવાદી માર્યો ગયો હતો. પોલિસે જણાવ્યુ હતુ કે માર્યો ગયેલો આતંકવાદી એક પોલિસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ તેમજ અન્યની હત્યામાં સંડોવાયેલો હતો. પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ હતુ કે જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીમાં ખુફિયા માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ.
વળી, ગયા બુધવારની સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના મેરજાનપોરા સ્થિત ઈદગાહ પાસે પીએસ સફાકદળમાં એક નાગરિકને પોતાની ગોળીના નિશાન બનાવ્યા. અધિકૃત નિવેદન મુજબ નાગરિકની ઓળખ રઉફ અહેમદ તરીકે થઈ હતી. ઘાયલ અવસ્થામાં એસએમએચએસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. વળી, શ્રીનગરના જ અનંતનાગમાં આતંકવાદીએ એક પોલિસકર્મીને નિશાન બનાવ્યા ત્યારબાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
