શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળોએ બે આતંકવાદીઓને અથડામણમાં ઠાર માર્યા

જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાંના ચોગાન વિસ્તારમાં સુરક્ષાબળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે. સમાચાર મુજબ આ ઑપરેશનમાં બે આતંકવાદી ફસાઈ ગયા હતા. જો કે, જવાનોએ તેમને ઠાર માર્યા છે. શનિવારની સવારે પોલિસ તરફથી આ એનકાઉન્ટની માહિતી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટસ મુજબ અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકવાદીઓની ઓળખ સજ્જાદ અહેમદ ચેક નિવાસી બ્રારીપોરા તેમજ રાજા બાસિજ નસીર નિવાસી શોપિયાં અને આચન પુલવામાંનો રહેવાસી હતો.

Jammu Kashmir

પોલિસ, સેના અને સીઆરપીએફના એક સંયુક્ત દળે આતંકવાદીઓની હાજરીની સૂચના મળ્યા બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરુ કરી દીધુ હતુ. જેવુ સુરક્ષાબળોની ટીમે શંકાસ્પદ સ્થળનુ સર્ચ કર્યુ તો છૂપાયેલા આતંકવાદીઓએ સેના પર ગોળીબાદ શરુ કરી દીધો જેની વળતી કાર્યવાહીમાં અથડામણ શરુ થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે શુક્રવારે અનંતનાગ જિલ્લામાં પણ અથડામણ થઈ હતી જેમાં એક હિઝબુલનો આતંકવાદી માર્યો ગયો હતો. પોલિસે જણાવ્યુ હતુ કે માર્યો ગયેલો આતંકવાદી એક પોલિસ નિરીક્ષક અને ભાજપ કાર્યકર્તાઓ તેમજ અન્યની હત્યામાં સંડોવાયેલો હતો. પોલિસના એક પ્રવકતાએ જણાવ્યુ હતુ કે જિલ્લાના અરવાની વિસ્તારમાં મુમનહાલ ગામમાં આતંકવાદીઓની હાજરીમાં ખુફિયા માહિતી મળ્યા બાદ સુરક્ષાબળોએ ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ.

વળી, ગયા બુધવારની સાંજે આતંકવાદીઓએ શ્રીનગરના મેરજાનપોરા સ્થિત ઈદગાહ પાસે પીએસ સફાકદળમાં એક નાગરિકને પોતાની ગોળીના નિશાન બનાવ્યા. અધિકૃત નિવેદન મુજબ નાગરિકની ઓળખ રઉફ અહેમદ તરીકે થઈ હતી. ઘાયલ અવસ્થામાં એસએમએચએસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. વળી, શ્રીનગરના જ અનંતનાગમાં આતંકવાદીએ એક પોલિસકર્મીને નિશાન બનાવ્યા ત્યારબાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X