જમ્મુ-શ્રીનગરમાં સુરક્ષાબળો પર આતંકી હુમલો, આતંકી ઠાર મરાયો
જમ્મુ-શ્રીનગરમાં સુરક્ષાબળો પર આતંકી હુમલો, આતંકી ઠાર મરાયો
શ્રીનગરઃ કાશ્મીરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, અહીં આજે સવારે 6 વાગ્યે જમ્મુ-કાશ્મીર હાઈે પર નગરોટામાં સીઆરપીએફ પોસ્ટ પાસે ફાયરિંગ થયું જેમાં સુરક્ષાબળોએ એક આતંકીને ઠાર માર્યો છે, જ્યારે 3 આતંકીઓને ઘેરી લીધા છે, આ ફાયરિંગમાં સીઆરપીએફનો એક જવાન પણ ઘાયલ થયો છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે પોલીસે જમ્મુ-કાશ્મીર હાઈવે પર બન્ન ટોલ પ્લાઝા પર શ્રીનગર જઈ રહેલ એક ટ્રકને રોકી દીધો તો ટ્રકમાં છિપાયેલ આતંકીઓએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું, આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ કરાયા બાદ સુરક્ષાબલોએ ઝડબાતોડ જવાબ દીયો, અથડામણ હજી પણ ચાલુ છે.
આ રમિયાન બોમ્બ ટોલ પ્લાઝા પાસે બે તેજ ધમાકાનો અવાજ પણ સંભળાયો. આતંકીઓની સંખ્યા વિશે હજી પૂરી જાણકારી મળી શકી નથી, સુરક્ષાબળો મુજબ આતંકી ટોલ પ્લાઝાની નજીક આવેલ જંગલોમાં છૂપાયેલા હોઈ શકે છે, જેથી સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
